રાજકોટ શહેરની સાથોસાથ નજીકમાં આવેલા જામનગર શહેરમાં પણ કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. મહામારીના આ સંજાેગોમાં જામજાેધપુર તાલુકાના મોટી ગોપ ગામે તા.૩૧ માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જામજાેધપુર તાલુકાના મોટી ગોપ ગામે અત્યારે ૧૧ જેટલા વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થતા ગામમાં દોડધામ મચી ગઈ છે.
ગ્રામ પંચાયત તરફથી આગામી તા.૩૧ માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવા ર્નિણય લેવાયો છે. આ ર્નિણયમાં ગ્રામજનોએ પણ પૂરતો સાથ-સહકાર આપ્યો છે. મોટી ગોપ ગ્રામ પંચાયતના સરપંચે કરેલા ર્નિણય બાદ સવારથી ગોપની બજાર સુમસાન જાેવા મળી રહી છે. કોરોના કોઈ રીતે ફેલાઈ નહીં એ માટે લોકોની અવરજવર ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ગામમાં કોરોના વાયરસના કેસ વધે નહીં એ માટે લોકડાઉન જરૂરી હતું એવું ગામના મહિલા સરપંચ જણાવી રહ્યા છે. આ માટે અગાઉ પણ તા.૨૪ માર્ચે સ્વૈચ્છિક લોકડાઉન માટેની જાહેરાત કરવામાં આવી હતી.
ગ્રામજનોએ પણ લોકડાઉનના ર્નિણયને સ્વીકારીને અમલ કરી બતાવ્યો છે. સવારથી જ કોઈ ઘરની બહાર નીકળ્યું નથી. બીજી તરફ વ્યાપારીઓએ પણ પોતાના ધંધા-દુકાન બંધ રાખ્યા છે. સવારથી જ ગામમાં જાણે કોઈ છે જ નહીં એવો સુમસાન માહોલ જાેવા મળી રહ્યો છે.
Recent Comments