રાષ્ટ્રીય

મોદી સરકારના કાર્યકાળના છેલ્લા પૂર્ણ બજેટ પહેલા બોલાવવામાં આવી મંત્રી પરિષદની બેઠક

બજેટ સત્ર પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોદી સરકારના તમામ મંત્રીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં પીએમ મોદીએ તમામ મંત્રીઓને કેન્દ્ર સરકારના કામને સામાન્ય લોકો સુધી સુલભ બનાવવાની સલાહ આપી હતી. પીએમએ તમામ મંત્રીઓને કહ્યું કે સરકારની યોજનાઓને દરેક ઘર સુધી પહોંચાડવી જાેઈએ અને તેમના પોતાના મંત્રાલયના કામનો પણ પ્રચાર કરવો જાેઈએ. વડાપ્રધાને મંત્રીઓને સલાહ આપી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રીય મંત્રીઓએ લોકોને તેમના મંત્રાલયના કામ વિશે માહિતી આપવી જાેઈએ.

વડાપ્રધાને જી-૨૦ કાર્યક્રમને ઉગ્રતાથી પ્રોત્સાહન આપવાની વાત પણ કરી છે. તેમણે કહ્યું છે કે ય્૨૦નું અધ્યક્ષપદ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે, આ વાત લોકો સુધી પહોંચાડવી જાેઈએ. આ માટે નક્કી કરાયેલા કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવો જાેઈએ અને તેનો પ્રચાર પણ થવો જાેઈએ. ઁસ્એ મંત્રી પરિષદની બેઠકમાં દેશની સામાજિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓને જાહેર કરવા કહ્યું છે. પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ યોજનાઓની સિદ્ધિઓ લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડવી જાેઈએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી પરિષદની બેઠકમાં કેબિનેટ સચિવે ૨૦૧૪થી અત્યાર સુધીની મોદી સરકારની યોજનાઓ અને તમામ ર્નિણયોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. માહિતી પ્રસારણ સચિવે સોશિયલ મીડિયા દ્વારા સરકારની કામગીરી અને ર્નિણયોને કેવી રીતે પ્રસિદ્ધ કરી શકાય તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ડીઇપીટી સચિવે અત્યાર સુધીની તમામ યોજનાઓની જાણકારી આપી હતી અને તમામ યોજના અને પરિયોજનાઓનું અપડેટ આપ્યું હતું કે કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને પરિયોજના ક્યારે પૂર્ણ થશે.

Related Posts