લાઠી ના આંસોદર અને મતિરાળા વિસ્તાર માં કોરોના રસીકરણ નો ત્રીજો તબક્કો શરૂ
લાઠી ના આંસોદર અને મતિરાળા વિસ્તાર માં કોરોના રસીકરણ નો ત્રીજો તબક્કો શરૂદેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં ૧૫ મિલિયન ઉપરાંત દેશવાસીઓને કોવિડ રસીકરણનો પહેલો ડોઝ આપી દીધેલ છે ત્યારે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આંસોદર અને મતીરાળા ખાતે કોરોના રસીકરણ ના ત્રીજા તબક્કા નો આરંભ થયેલ છે. હેલ્થ કેર વર્કરો અને ફ્રન્ટ લાઈન વર્કરો ને સફળતા પૂર્વક રસીકરણ બાદ આ કાર્યક્રમ અંતર્ગત આ વિસ્તાર ના ગામો માં કોરોના રસીકરણ સાઈટ નું આયોજન કરી ૪૫ વર્ષ થી વધુ વય ના કો – મોરબિડ કન્ડીશન વાળા અને ૬૦ વર્ષ થી વધુ વય ના તમામ નાગરિકો ને કોરોના ની રસી ના બે ડોઝ ૨૮ દિવસ ના અંતરે આપવા માં આવે છે. આ વિસ્તાર ના ૭૦૦૦ થી વધુ આવા નાગરિકો ના રસીકરણ માટે ડો. રોહિત ગોહિલ અને ડો. સાગર પરવડિયા ના નેતૃત્વ માં બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ ખૂબ જેહમત ઉઠાવી રહ્યા છે. તેમજ આ ગામોના સરપંચ સહિત સામાજિક અગ્રણીઓ પણ પોતાનું રસીકરણ કરાવી સમાજ માં સૌ ને ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના ની રસી નો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ બાદ જે તે વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ વધતી હોવાથી, સંપૂર્ણ પણે સરકાર માન્ય, સુરક્ષિત અને ઉકત નાગરિકો માટે વિનામૂલ્યે આ રસી તમામ સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર મળતી હોવાથી વધુ માં વધુ લોકો તેનો લાભ લે એવું ડો. હરિવદન પરમાર દ્વારા જણાવેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
Recent Comments