ગુજરાત રાજય ના રાજયપાલશ્રી અકાળા ગામ માં વિજકંપની ની કામગીરી થી પ્રભાવિત થયા
સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ થયેલ કામગીરી માં અધિકારીગણ તેમજ કર્મચારીગણ ને રાજયપાલ શ્રી ના હસ્તે એવોર્ડ મહામહીમ રાજયપાલ શ્રી ગુજરાત રાજય – આચાર્ય દેવવ્રતજી તા .૮ / ૩ / ૨૦૧૧ ના રોજ ગામ – અકાળા ( તા . લાઠી , જી.અમરેલી ) કૃષિ સેમીનાર અંતર્ગત પધારેલ હતા . રાજયપાલ શ્રી ગામ ની મુલાકાત તેમજ ગ્રામજનો સાથે સંવાદ – વાર્તાલાપ દરમિયાન પીજીવીસીએલ કંપની ની સાંસદ આદર્શ ગ્રામ યોજના ( SAGY ) હેઠળ થયેલ કામગીરી થી પ્રભાવિત થયેલ . વિજબચત તેમજ સલામતી અંગેના લોક જંગૃતિ અર્થે પ્રસિધ્ધિ કરતા ભિંતચિત્રો , હોર્ડીગ્સ , બેનર્સ વગેરે તેઓ એ નિહાળેલ હતા . નાયબ ઈજનેર એમ.એમ.કડછા દ્વારા રાજયપાલશ્રી ને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામ માં થયેલ વિવિધ પ્રકાર ની દુરસ્તીકરણ તથા સમારકામ ની કામગીરી થી વાકેફ કરેલ . કૃષિ સેમીનાર દરમિયાન રાજયપાલશ્રી ના હસ્તે અકાળા ગામ ની ઉત્કૃષ્ટ કામગીરી માટે કાર્યપાલક ઈજનેર શ્રી કે.આર.પરીખ સા . , નાયબ ઈજનેર શ્રી એમ.એમ.કડછા સા . તથા શ્રી એન.એમ.ભવાણી સા . , જુનિયર ઈજનેર શ્રી એસ.આર.પટેલ સા . , તથા શ્રી એસ.આર.સરધારા સા . ને એવોર્ડ એનાયત કરાયેલ હતો . કુ . કે.જે.જોષી – જુનિયર ઈજનેર એ રાજયપાલ શ્રી ના ધર્મપત્નિ શ્રી દર્શનાદેવીજી ના હસ્તે એવોર્ડ સ્વીકારેલ હતો . કૃષિ સેમીનાર દરમિયાન નાયબ ઈજનેર શ્રી એમ.એમ.કડછા દ્વારા રાજયપાલ શ્રી ને પ્રકૃતિ ના જતન અંગે શુભ સંદેશ પાઠવતુ સ્મૃતિ ચિન્હ “ ચકલીઘર ” અર્પણ કરી પીજીવીસીએલ કંપની વતી અભિવાદન કરવામાં આવેલ હતું
Recent Comments