લાઠી તાલુકાના છભાડિયા અને ભિંગરાડમાં વડીલો ને કોરોનાની રસી અપાઈ
દેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતીરાળા માં સામેલ છભાડીયા અને ભિંગરાડ ખાતે કોરોના રસીકરણ ના ત્રીજા તબક્કા નો આરંભ થયેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત બંને ગામ ના ૬૦ વર્ષ થી વધુ વય ના નાગરિકો ને કોરોના ની રસી આપવા માં આવી. આ રસીકરણ ઝુંબેશ ને સફળ બનાવવા ડો. સાગર પરવડિયા ના નેતૃત્વ માં બંને પેટા આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ ડી ટી અપ્પા, વિશાલ વસાવડા, વનિતા મુલાની, ગીતાબેન અને આશા બહેનો ખૂબ જેહમત ઉઠાવી રહ્યા છે. તેમજ ડો. હરિવદન પરમાર અને આરોગ્ય સુપરવાઈઝર બી આર જાવિયા દ્વારા સુચારુ રીતે રસીકરણ કાર્યક્રમ ચાલે તે હેતુ થી દરેક સાઈટ પર લોકો ને આરોગ્ય શિક્ષણ આપી લોકજાગૃતિ માટે ના પ્રયાસો કરતા બહોળા પ્રમાણ માં ઉત્સાહભેર વડીલો એ રસી મુકાવેલ છે. તેમજ આવનારા દિવસો માં પણ વધુ માં વધુ લોકો આ રસીકરણ નો લાભ લે તેવી અપીલ કરેલ છે.
Recent Comments