fbpx
અમરેલી

અમરેલી : સંવેદન ગૃપ દ્વારા 79મું ચક્ષુદાન લેવાયું

અમરેલીના લાઠી રોડ પર વસતાં મિસ્ત્રી મનસુખલાલ લાલજીભાઈ કનાડિયાના માતુશ્રી વીમળાબેન લાલજીભાઈ કનાડિયા (ઉં.વ.91)નું  તા.31/03/ર0ર1 બુધવારના રોજ અવસાન થતાં તેમના પરિવારજનો દ્વારા નેત્રદાનનો નિર્ણય કર્યો. સ્‍વ. વીમળામાંના સેવાભાવી પેત્ર દિનેશભાઈ મનસુખલાલ કનાડિયા (એસ.ટી.)એ નેત્રદાન માટે કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્‍થા સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો.

આ ચક્ષુદાન સ્‍વીકારવા માટે સંસ્‍થાના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્‍યાસ, મોહસીન બેલીમ, ક્રિષા વ્‍યાસ, ચાર્મી બોરીસાગર, સેજલ આંબલિયા, ચાર્મી, મીત જોષીએ સેવા આપી હતી, કનાડિયા પરિવારે સ્‍વજનના મૃત્‍યુ બાદ ચક્ષુદાન નિર્ણય કરી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડયું હતું, ચક્ષુદાન થકી બે અંધજનોના જીવનમાં રોશની આવશે. કોરોના અંતર્ગત સરકારની માર્ગદર્શિકા મુજબ આ ચક્ષુદાન સ્‍વીકારવામાં આવ્‍યું હતું. તેમ સંવેદન ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/