ભરતીના નકલી એડમિટ કાર્ડના ફ્રોડથી ચેતવા જોગ
દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી મેળો ૨૦૨૧ માં તા. ૧/૨/૨૦૨૧ થી ૧૫/૨/૨૦૨૧ સુધીમાં જે ઉમેદવારો દોડમાં તેમજ મેડીકલ ટેસ્ટ પાસ થયેલ છે ત્યાર બાદ તેઓને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા એડમિટ કાર્ડ આપવામાં આવેલ છે તેવા ઉમેદવારો આગામી લેખિત પરીક્ષામાં ભાગ લઇ શકશે. આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરને ધ્યાનમાં આવેલ છે અમરેલી તેમજ અન્ય જિલ્લાના લેભાગુ તત્વો દ્વારા ખોટા એડમિટ કાર્ડ બનાવીને પૈસા પડાવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેના વિરુદ્ધ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા કાયદેસરની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આવા તત્વો સાથે ફોટા એડમિટ કાર્ડ મેળવવાની લાલચમાં ફસાવું નહીં. તેમજ ખોટા એડમિટ કાર્ડ મેળવીને ઉમેદવારોને કોઈપણ સ્થિતિમાં લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આવા ખોટા ફ્રોડ કરનાર તત્વો કોઈપણ વ્યક્તિના ધ્યાને આવે તો આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments