*તુલસીશ્યામ તીર્થધામ મંદિર દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવા ટ્રસ્ટીઓએ મહત્વ નો નિર્ણય લીધો*
મધ્ય ગીરમાં આવેલ તુલસીશ્યામ તીર્થધામ શ્યામ સુંદર મંદિર બંધ કરવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા લેવામાં આવ્યો છે કોરોનાની મહામારી સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે તુલસીશ્યામ તીર્થ મંદિર ના પ્રમુખ પ્રતાપભાઇ વરૂ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લીધો છે હાલ વર્તમાન પરિસ્થિતિ અતિ ખરાબ થઈ રહી છે ત્યારે વધું કોરોના નું સંક્રમણ ન વધે તે બાબતે આ મહત્વનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે ત્યારે આવનારા ભાવિક ભક્તો માટે તારીખ ૯-૪-૨૧ થી૩૦-૪-૨૧ સુધી તુલસીશ્યામ તીર્થ મંદિર બંધ રહેશે તે બાબતે આવનારા તમામ ભાવિક ભક્તોએ નોંધ લેવી જે કોઇ વ્યક્તિ પૂનમ અને અમાસ ભરતા હોય તેમજ જે લોકો ને માનતા હોય તે વ્યક્તિએ પોતાના ઘરેથી જ ભગવાન શ્રી શ્યામ ના દર્શન કરવા હાલમાં કોઈ તુલસીશ્યામ દર્શન ખાતે આવશે તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી પણ સર્વ લોકોએ નોંધ લેવી
Recent Comments