શેત્રુજી નદીના બેઠા પુલમાટે 15% વિવેકાધીન (જિલ્લા કક્ષા)ગ્રાન્ટ માંથી ૧૫૦૦૦૦૦ રકમ મંજુર કરાવતા ધરાસભ્ય પ્રતાપ દુધાત.
જીરા ગામથી આંબા ગામ વચ્ચે શેત્રુજી નદીના બેઠા પુલ ને કારણે વારંવાર પાણીના ભરવાથી રાહદારીઓ ને અકસ્માત થતા હતા તે બાબતે ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં પ્રશ્ન ઉઠાવી ને પુલ માટે 15% વિવેકાધીન (જિલ્લા કક્ષા)ગ્રાન્ટ માંથી ૧૫૦૦૦૦૦ રકમ મંજુર કરાવતા ધરાસભ્ય પ્રતાપ દુધાત સાવરકુંડલા તાલુકા ના જીરા ગામથી લીલીયા તાલુકના આંબા ગામ વચ્ચે શેત્રુજી નદીના બેઠા પુલ ને જે (જીરા-આંબા) બેઠો પુલ આવેલ હતો, અને આ પુલ પર ચોમાસા ની સીઝન દરમ્યાન પાણી ભરવાના કારણે આજુબાજુના વિસ્તારના રાહદારીઓ આ પુલ પરથી પસાર થતા આકસ્માત સર્જાતો હતો તેવી વારંવાર રજુઆતો ધારાસભ્ય શ્રીને મળતા આ પ્રશ્ને તાત્કાલિક નિરાકરણ લાવવા જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ માં ઉઠાવવામાં આવેલ હતો.
આ પુલ માટે 15% વિવેકાધીન (જિલ્લા કક્ષા) ગ્રાન્ટ માંથી ૧૫૦૦૦૦૦ રકમ મંજુર કરવામાં આવેલ છે, અને તેમની ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવેલ છે, અને ટુક સમયમાં આ કામ શરુ કરવામાં આવશે. આમ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લોકોની સુખાકારી ને ધ્યાને લઈને આવા જરૂરીયાત મુજબના કામોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.
Recent Comments