fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની ડેજીગ્નેટ થયેલ પ્રાઈવેટ હોસ્પિટલોને પણ સરકારના નિયમોનુસાર રેમડેસીવીર મળી રહશે.

અમરેલી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહયો છે ત્યારેજિલ્લાની ડેજીગ્નેટ થયેલ પ્રાઈવેટ હોસ્પિટલોમાં એડમીટ દદીૅઓને રેમડેસીવીર ઈન્જેકશન માટે પડતી
હાલાકીઓ અંગે સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તરફથી સરકારમાં અને જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવેલ અસરકારક રજૂઆતોના અનુસંધાને અમરેલી જિલ્લાની નીચે જણાવેલ ડેજીગ્નેટ પ્રાઈવેટ હોસ્પિટલોને સરકારના નિયમોનુસાર રેમડેસીવીર ઈન્જેકશન મળી રહશે.
( ૧) એમ્સ હોસ્પિટલ–અમરેલી, ( ર) સેફરોન વર્લ્ડ સ્કુલ–ઈશ્વરીયા તા.અમરેલી, ( ૩) ગોકુલ હોસ્પિટલ–દામનગર તા.લાઠી, ( ૪) તાલુકા શાળા–લાઠી, ( પ) સદવિચાર હોસ્પિટલ–દામનગર તા.લાઠી, ( ૬ ) સહજાનંદ હોસ્પિટલ–દામનગર
તા.લાઠી, ( ૭) લાઈફ કેર હોસ્પિટલ–સાવરકુંડલા, ( ૮) સદવિચાર જનરલ હોસ્પિટલ–રાજુલા, ( ૯) મધર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ–રાજુલા, અને ( ૧૦) બી.એ.પી. સીતારામ
સેવા સમિતિ–રાજુલા. વધુ માહીતી આપતા સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, અમરેલી જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં સરકાર તરફથી પુરતા પ્રમાણમાં રેમડેસીવીર
ઈન્જેકશન આપવામાં આવી રહયા છે પરંતુ સરકારી હોસ્પિટલોમાં બેડની મયૉદાઓને લીધે જિલ્લાના દદીૅઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે ત્યારે સમગ્ર
રાજયમાં ઈન્જેકશનની શોર્ટેજ હોવાને લીધે આ ડેજીગ્નેટ પ્રા. હોસ્પિટલોમાં એડમીટ દદીૅઓને રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે પણ ખુબ જ મુશ્કેલીઓ ભોગવવી પડી રહી
હતી. જે બાબતે રાજય સરકારશ્રીમાં અને જિલ્લા વહીવટી તંત્રને સતત રજૂઆતો કરવાના પરીણામ સ્વરૂપે હવે દદીૅઓને અમરેલી જિલ્લાની ઉપરોકત ડેજીગ્નેટ પ્રાઈવેટ હોસ્પિટલો
માંથી જ ઈન્જેકશન્સ મળી રહશે.

રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે જે તે ડેજીગ્નેટ થયેલ પ્રાઈવેટ હોસ્પિટલોના હેડ ઓફ ડીપાટૅમેન્ટ સીવીલ સજૅન, અમરેલીને જરૂરીયાત મુજબના જથ્થા માટે ઈમેલ કરી,
સરકાર તરફથી નકકી કરવામાં આવેલ ભાવો પ્રમાણે જિલ્લા મથકેથી ઈન્જેકશન મેળવી શકશે. જેથી હવે દદીૅઓને કે તેમના પરીવારજનોને ઈન્જેકશન માટે મુશ્કેલીઓ વેઠવી પડશે નહી.
સરકાર તરફથી કેડીલા હેલ્થકેર લી. કંપનીના એક ઈન્જેકશન માટે રૂા. ૬૯૯/– અને હેટેરો હેલ્થકેર લી. કંપનીના એક ઈન્જેકશન માટે રૂા. ૧,૮૪૯/– કિંમત નકકી કરવામાં આવેલ છે. જેથી કોઈપણ ડેજીગ્નેટ પ્રા. હોસ્પિટલ આનાથી વધુ ભાવો લઈ શકશે નહી. વધુમાં સાંસદએ જણાવેલ છે કે, અમરેલી જિલ્લાની બાકી રહેતી અને એમ.ડી. ડોકટરો ધરાવતી પ્રાઈવેટ હોસ્પિટલ્સ માંથી જે હોસ્પિટલ ડેજીગ્નેટ થવા માંગતી હોઈ, તેમણે સરકારના નિયમોનુસાર જિલ્લા કક્ષાએ દરખાસ્ત કરી જરૂરી મંજુરી મેળવી લેવા અને જે કોઈ લોકોને કોરોનાની સારવાર સંબંધી કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો
મો. નં. ૯૪ર૯૪૦પ૦૬૦ ઉપર સંપકૅ કરવા અનુરોધ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/