કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાનો અમરેલી માટેના આ માનવતાવાદી નર્ણયિને આવકારતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા પ્રવર્તમાન કોરોના મહામારીને રોકવા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ પોતાની ગ્રાન્ટમાંથી ૧ કરોડ ફાળવ્યા
કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમ રૂપાલા સાહેબ પોતાના વતન અને પોતાના જિલ્લામાં તમામ તાલુકામાં હાલની કોરોનાની પરીસ્થિતને ધ્યાનમાં રાખી ઓકિસજનની જરૂરીયાત માટે પોતાની પાસે રહેલ ગ્રાન્ટ માંથી રૂ.૧ કરોડ જેટલી રકમ ફાળવી દીધેલ છે. અમરેલી જિલ્લાનાં સિવીલ હોસ્પિટલ ખાતે તેમજ સબ ડીવીઝન હોસ્પિટલ રાજુલા ખાતે ઓકિસજન પ્લાંટ સ્થાપવા રૂ.૬ર લાખ ફાળવવામાંં આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સુવિધા માટે રૂ.૭.પ૦ લાખની કિમંતનાં અદ્યતન વેન્ટીનેટર ખરીદવા માટે રૂ.૩૭.પ૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
આ માનવતાવાદી નર્ણયિને આવકારતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં કોરોના મહામારી ને રોકવા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે આપણા મોભી અને અમરેલી જિલ્લાની સતત ચિંતા કરતા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબે પોતાની ગ્રાન્ટમાંથી ૧ કરોડ ની ફાળવણી લોકોની સ્વાસ્થ્ય સુવિધામાટે કરી છે અને તેમણે વિશ્વાસ આપ્યો છે કે, આગામી સમયમાં સમગ્ર અમરેલી જિલ્લામાં ઓકિસજન પ્લાંટ અને વેન્ટીનેટરની સુવિધા ઉપલબ્ધ કરવા માટેના પ્રયત્ન રહેશે
Recent Comments