પુ. મોરારીબાપુના આશીર્વાદથી સાવરકુંડલા ખાતે શ્રી લલ્લુબાપા આરોગ્ય મંદિરમા કોવિડ૧૯ ના દર્દી માટે ફ્રિમાં સારવાર ચાલુ કરાઈ. ઉષામૈયાના હાથે રીબીન કાપી ચાલુ કરાવાઈ. ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ હાજરી આપી.
પુ. મોરારીબાપુના આશીર્વાદથી સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુબાપા આરોગ્ય મંદિરખાતે કોવિડ૧૯ ના દર્દી માટે ફ્રિમાં સારવાર ચાલુ કરી ઉષામૈયા ના હાથે રીબીન કાપી કોવિડ૧૯ ના દર્દીની ચારવાર ચાલુ કરાવી અને આ સમયે ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ હાજરી આપી હતી આ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામા નિ:શુલ્ક દર્દીઓને સેવા આપે છે જેથી સાવરકુંડલા તથા અમરેલી જીલ્લાના લોકો મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે પણ આ મહારીમાં કોવિદ૧૯ કેર સેન્ટર કન્યા છાત્રાલય સાવરકુંડલા ખાતે આજ થી ચાલુ કરવામાં આવ્યું છે જેથી કોરોનાના દર્દીઓ સારવાર લઇ શકે છે. ટુક સમય પહેલા મોરારી બાપુએ જાહેરાત કરી હતી અને બાપુના આશીર્વાદના કારણે હવે પ્રાઇવેટ જેવી સુવિધા તેમજ એમ.ડી. ડોક્ટર સાથે નિ:શુલ્ક સારવાર કોરોનાની આ હોસ્પીટલમાં મળશે આ સમયે ઉષામૈયા દ્વારા રીબીન કાપી અને હોસ્પીટલમાં સારવાર ચાલુ કરી કતી આ સમયે ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ હાર્દિકભાઈ કાનાણી, ડો.કાનાબાર સાહેબ, ભરતભાઈ જોષી, ડો. અરવિંદ શર્મા(એમ.ડી.), ડો.સાગર,બાઘાભાઈ સૂચક, દિનેશભાઈ લાડવા, મહેશભાઈ જયાણી,હિતેશભાઈ સરૈયા, રાજુભાઈ નાગ્રેચા,અશોકભાઈ ખુમાણ, પ્રવીણભાઈ સાવજ,જતીનભાઈ સૂચક તથા હોસ્પીટલમાં સ્ટાફ અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
Recent Comments