સાવરકુંડલા વોર્ડ નં.૬ ના વિસ્તારોમાં સેનેટાઇઝ કરવા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાની રજુઆત
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૬ ના મોટાભાગના વિસ્તારો પછાત વિસ્તારો છે વોર્ડ નંબર ૬ ના વિસ્તારોમાં કોરોના ની મહામારી ને ધ્યાને લઇ મારા વિસ્તાર ના લોકો ની સુખાકારી જળવાઇ રહે તે માટે અને મારા વિસ્તારોમાં કોરોના વાયરસ નો ફેલાવો ન થાય તે માટે વોર્ડ નંબર ૬ ના વિધુતનગર, વિધુતનગર – સામેની વસાહત, દેવીપૂજક વિસ્તાર, શિવમપાર્ક સોસાયટી, ગાયત્રી સોસાયટી, આનંદપાર્ક સોસાયટી, ગાયત્રી ની બાજુનો વિસ્તાર, ગુજ. હા. બોર્ડ, કર્મચારી સોસાયટી, વેલનાથપરા, અંબિકા સોસાયટી, એશીયાડ – સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઇન્દિરા વસાહત, ખાણ વિસ્તાર, ફેન્ડ સોસાયટી, ભાવના સોસાયટી, બીડીકામદાર સોસાયટી, ગાંધી સોસાયટી વિસ્તારોમાં સેનેટાઇઝ કરવાસેનીટેશન વિભાગ ને સુચના આપવા નગરપાલિકા ના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી,ઉપ પ્રમુખ ને વિસ્તાર ના પ્રતિનિધિ તરીકે લેખીત મા માંગણી સાથે ભલામણ કરેલ છે
Recent Comments