પૂર્વ ધારાસભ્ય–સહકારી આગેવાન વાલજીભાઈ ખોખરીયાને શ્રધ્ધાંજલી પાઠવતા દીપીભાઈ સંઘાણી.
પરોપકારી ઉતમ જીવન અને સેવાભાવના ઉંમરને અસર કરતી નથી, તેમ પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન વાલજીભાઈ ખોખરીયાના દેહાવસાન નીમીતે તેમને શ્રધ્ધાંજલી પાઠવતા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ હતું.
સંઘાણીએ વધુમા જણાવેલ કે, વાલજીભાઈનું જીવન અન્યોને મદદરૂપ થવાની પ્રેરણા આપતુ તેમના જવાથી સમગ્ર વિસ્તારે એક બહુગુણસભર વ્યકિતત્વ ગુમાવ્યાનું અને સહકારી જગતે એક કૂશળ કાર્યકર ગુમાવ્યાનું દુ:ખ રહેશે. દિલીપ સંઘાણી એ આ તકે જણાવેલ કે, કોરોના સંક્રમણ અટકે તે માટે જાગૃત બનીએ, માસ્ક પહેરીએ અને અકારણ બહાર જવાનું ટાળએ તેવી અપીલ જનહિતમા કરી હતી.
Recent Comments