કોરોનાનાં દર્દીને સારવાર માટે 1 લાખ અને મૃત્યુ કેસમાં ર લાખની સહાય કરો : પરેશ ધાનાણી
અમરેલીનાં ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, ભારતના બંધારણમાં લોકશાહી ઢબે ચાલતી કેન્દ્ર અને રાજય સરકારની પ્રાથમિક ફરજ/જવાબદારી દરેક નાગરિકને શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, કાયદો અને વ્યવસ્થા, સંરક્ષણ વગેરે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની હોય છે અને આવી ફરજો મેળવવાનો નાગરિકોને બંધારણીય અધિકાર છે. સ્વતંત્ર ભારતના સંવિધાનથી કલ્યાણ રાજયની વિભાવનાને અનુરૂપ રાજય વ્યવસ્થા થકી રાષ્ટ્રના નાગરિકોની સુખાકારી માટે સરકારે નિષ્ઠા રાખવાની રહે છે.
વધુમાં જણાવેલ છે કે, છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ ભરડો લીધો છે. કોરોના મહામારીએ સદીની સૌથી મોટી મહામારી છે. માત્ર ભારત દેશ જ નહીં વિશ્વના લગભગતમામ રાષ્ટ્રો કોરોના મહામારીથી પીડિત છે. હાલમાં દેશ અને રાજયમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન ચાલી રહેલ છે જે રાજયના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘાતક પૂરવાર થઈ રહેલ છે. સમગ્ર રાજયમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે અસરકારક એવા રેમડેસિવિર, ટોસીલીજુમેબ જેવા ઈન્જેકશન, ફેબી ફલુ જેવી દવાઓ, ઓકિસજન, ઓકિસજનના બાટલા, વેન્ટીલેટર, સીટી સ્કેન મશીન, દર્દીઓ માટે પથારી, ટેસ્ટ કીટ, એમ્બ્યુલન્સ, શબવાહિની, સ્મશાનમાં લાકડા, ઈલેકટ્રીક ભઠ્ઠી વગેરેની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરની ઉણપનાં કારણે હજારો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહૃાા છે. કોરોનાની પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે પુરતો સમય મળ્યો હતો. કોરોનાની સ્થિતિમાં સરકારે આરોગ્ય વિષયક જરૂરી વ્યવસ્થા ઉભી કરી હોત તો આજે હજારો લોકોને બચાવી શકયા હોત, સરકાર આવી વ્યવસ્થા ઉભી કરવામાં ઉણી ઉતરી છે જેના કારણે આજે ગુજરાતનાં લોકો પોતાના જીવના બલિદાનથી આકરી કિંમત ચૂકવી રહૃાાં છે. પાણી વિના માછલી તરફડીને મરે છે તે જ રીતે હાલ લોકો તરફડીને મરી રહેલ છે જેનાથી આપ પણ સારી રીતે વિદીત છો જ. ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર003ની કલમ-પ અંતર્ગત આપદા પ્રબંધન અર્થે કન્ટીજન્સી પ્લાન તૈયારકરવા, ક્ષમતાવર્ધન, ડાટા કલેકશન અને તેનું યથાર્થ આકલન કરવાની ફરજ અદા કરવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહેલ છે.
વધુમાં જણાવેલ છે કે, કોરોના વાયરસને આગળ વધતો/ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર ઘ્વારા સમગ્ર દેશમાં તા. ર4/3/ર0થી લોકડાઉન જાહેર કરવામાં આવેલ જે તા. 31/પ/ર0 સુધી અમલમાં હતું. કોરોના વાયરસનાં કારણે હાલ રાજયમાં લોકડાઉન અમલમાં નથી પરંતુ લોકો ભયના ઓથાર હેઠળ સ્વૈચ્છિક લોકડાઉન પાળી રહૃાાં છે. લગભગ તમામ પ્રકારના ધંધા- રોજગાર બંધ છે જે ફરી કયારે પૂર્વવત થશે તે નકકી નથી. ગરીબ અને મઘ્યમ વર્ગનાં લોકો માટે જીવન જીવવું મુશ્કેલ થઈ ગયેલ છે.
વધુમાં જણાવેલ છે કે, કુદરતી આપત્તિઓ સમયે પ્રજાની વ્હારે આવવું એ દરેક સરકારની ફરજ છે. કુદરતી આપત્તિઓમાં ભોગ બનેલ લોકોના પરિવારોને સરકાર સહાય ચૂકવતી હોય છે ત્યારે કોરોના મહામારી સમયે પણ સરકારે આગળ આવીને લોકોને આર્થિક રીતે મદદરૂપ બનવું જોઈએ જે બાબત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટથી સક્ષમ સત્તા પર લાદવામાં આવેલ ફરજો છે.
વધુમાં જણાવેલ છે કે, કોરોના મહામારીનાં કારણે સમગ્ર દેશ અને રાજયમાં એપીડેમીક એકટ, ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક-ર003 અને ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર00પ લાગુ કરવામાં આવેલ છે. આકાયદાઓ હેઠળ જુદા-જુદા નોટીફીકેશનો બહાર પાડવામાં આવે છે અને તેના ભંગ બદલ જવાબદારો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. ગુજરાત સ્ટ્રટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર003ની કલમ-ર1 અને ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર00પની કલમ-1ર અંતર્ગત ઈમરજન્સી રાહતો જાહેર કરવાની જોગવાઈ છે. કોરોના મહામારીમાં આ કાયદો લાગુ કરીને તેના ભંગ બદલ જવાબદારો પાસેથી દંડ વસુલવામાં આવે છે તેમજ સદહું કાયદા હેઠળ મળેલ સત્તાની રૂએ પ્રજા અને વ્યવસ્થા તંત્ર પર આકરા નિયંત્રણો લાદવામાં આવી રહૃાા છે તેમજ કાયદાથી પ્રાપ્ત અધિકારીનો સરકાર કિન્નાખોરીપૂર્વક દુરૂપયોગ કરી રહી છે પરંતુ હાલ પર્યંત આ કાયદા અન્વયે સંવિધાનિક જવાબદારી સ્વરૂપ આરોગ્યની તકેદારી અંગે કોઈપણ પ્રકારની સારવાર, સુવિધા કે સહાય આપવામાં સરકાર સંપૂર્ણ ઉણી ઉતરી છે. હાલ કેન્દ્ર તથા રાજયમાં પ્રવર્તમાન કાયદાઓ અન્વયે અછત, પૂર, ભૂકંપ અને વાવાઝોડા વગેરે કુદરતી આપત્તિઓ સમયે આ કાયદા અંતર્ગત અસરગ્રસ્તોને કેશડોલ્સ (રોકડ સહાય), ઘરવખરીની નુકસાની, મકાન સહાય, પશુપાલન અને ખેતીવાડીને થયેલ નુકસાનીનું વળતર, શારીરિક ખોડખાંપણ અને કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
વધુમાં જણાવેલ છે કે, ગતવર્ષથી સમગ્ર રાજયમાં કોરોના મહામારીનો ભોગ અસંખ્ય લોકો બનેલ છે, હજારો લોકો મૃત્યુ પામેલ છે તેવા સમયે આ કાયદામાં સહાય ચૂકવવાની જોગવાઈ હોવા છતાં પણ રાજય સરકાર પોતે જ ઘડેલા કાયદાનું ઉલ્લંઘન કરીને પ્રજાને મળવાપાત્ર સહાયથી વંચિત રાખે છે. કોરોના મહામારીને સરકારે ભભહેલ્થ ડીઝાસ્ટરભભ જાહેર કરવી જોઈએ અને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ તમામ વ્યકિતઓના પરિવારોને પણ સરકારે આર્થિક સહાય ચૂકવવી જોઈએ તથા તે અંગેના ધોરણો, માપદંડો નિર્ધારિત કરવાની કાયદાથી લાદેલી ફરજો પણ અદા કરવી જોઈએ.
વધુમાં જણાવેલ છે કે, કોરોનાના કારણે આજે રાજયમાં કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે, કેટલાય પરિવાર આર્થિક પાયમાલીનો ભોગ બન્યા છે. આવા પરિવારોને જીનવ નિર્વાહ માટે સહાયની તાત્કાલિક જરૂરિયાત છે. પોતાના પરિવારના જીવનનિર્વાહ માટે, બાળકોના ઉછેર માટ,ે જુવાન દીકરા ગુમાવનાર જીવનના છેલ્લા તબકકામાં જીવતા ઘરડા લોકોને આર્થિક સહાયની ખાસ જરૂરિયાત છે જે પૂરી પાડવા માટે સરકારે તાત્કાલિક આર્થિક સહાય જાહેર કરવી જોઈએ.
ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર003ની કલમ-ર1 અને ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર00પની કલમ-1રની જોગવાઈ મુજબ કોરોના મહામારીનો ભોગ બનેલ વ્યકિતઓને નીચે મુજબની સહાય ચૂકવવીજોઈએ.
(1) કોરોના સંક્રમણના કારણે પ્રાથમિક સારવાર મળેવતા/મેળવેલ દર્દીઓને રૂા. 10 હજાર (ર) કોરોના સંક્રમણના કારણે કોવિડર કેર સેન્ટર/હોમ આઈસોલેશનમાં સારવાર લેતા દર્દીઓને રૂા. રપ હજાર (3) કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને રૂા. 1 લાખ (4) કોરોના સંક્રમણથી શંકાસ્પદ મૃત્યુ પામનારના પરિવાજનોને રૂા. ર લાખ (પ) કોરોના સંક્રમણની આડઅસરથી થયેલ મૃત્યુ પામનારના પરિવારજનોને રૂા. 3 લાખ (6) કોરોના સંક્રમણથી થયેલ મૃત્યુ પામનારના પરિવારજનોને રૂા. 4 લાખ.
આમ જયારે ભભધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક-ર00પભભનાં નિયંત્રણો અંગેની સત્તાઓ, અધિકારો ત્યારે જ ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે કોઈ પરિસ્થિતિ આપદાની વ્યાખ્યામાં સમાવિષ્ય હોય અને જયારે ભભધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર00પભભનાં હવાલાથી જયારે પ્રજા પર વ્યાપક નિયંત્રણો લાદયા હોય અને જાહેરનામાઓ પ્રસિઘ્ધ કરી જાહેરનામા અંતર્ગતના નિયંત્રણો, આદેશોનો ભંગ કરનાર ઈસમો સામે દંડનીય કાર્યવાહીનો પ્રયોગ પણ વ્યાપક રીતે થઈ રહેલ છે. અને જે અનિવાર્ય પણ હોય તો તે જ રીતે સદરહું કાયદાની જોગવાઈ મુજબ શાસન ઘ્વારા કેટલીક ફરજો અને જવાબદારીઓ શાસન ઘ્વારા વહન કરવાનું સુનિશ્ચિત થયેલ છે અને જયારે સક્ષમ સત્તાને જયારે નિયંત્રણ માટેની અમર્યાદસત્તાઓ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સક્ષમ સત્તાને અદા કરવાની ફરજો/જવાબદારીઓ પણ લાદવામાં આવેલ છે અને લોકશાહીયુકત કલ્યાણ રાજયની વિભાવનાને સાર્થક કરવાના ઉદેશ્યથી જ વિદ્યેયકો ઘડવામાં આવે છે અને સંબંધિત કાયદાના ઉદેશ્યને સંપૂણતયા મુલવી અને સરકારના કલ્યાણકારી પગલાઓ/ઉપાયો અંગેની ફરજો અદા કરવાની પણ પ્રતીતિ થાય તે આવશ્યક નહીં પરંતુ અનિવાર્ય છે.
વધુમાં જણાવેલ છે કે, ધી ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર003ની કલમ-7(ક) અનુસાર રાજયના મુખ્યમંત્રી હોદાની રૂએ રાજની ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના ચેરપર્સન છે અને આવી આપદાના સંજોગોમાં સરકાર ઘ્વારા વૈધાનિક ફરજોનું સુચારૂ રીતે નિર્વહન થાય તે જરૂરી છે.
વધુમાં જણાવેલ છે કે, ઉકત બાબતોને ગંભીરતાથી ઘ્યાને લઈ પ્રજાહિતમાં તાત્કાલિક યોગ્ય કરી, કોરોના મહામારીને ભભહેલ્થ ડીઝાસ્ટરભભ જાહેર કરી, રાજયમાં કોરોનાથી સંક્રમિત થયેલ તમામ વ્યકિતઓ અને કોરોનાના કારણે મૃત્યુ પામેલ તમામ વ્યકિતઓના પરિવારજનોને ઉપર જણાવ્યા મુજબની આર્થિક સહાય ચુકવવા માટે તેમજ લાંબા સમયના લોકડાઉનના કારણે રીલીફ મેન્યુઅલના પારા 13પ-136 અનુસાર કેશડોલ્સ ચુકવવા માટે જરૂરી ધોરણો અને માપદંડો નિર્ધારિત કરવા જરૂરી કાર્યવાહી સત્વરે કરાવવા અંતમાં માંગ કરેલછે.
Recent Comments