સાવરકુંડલાના 9પ વર્ષીય વૃદ્ધ કોરોના સામેના જંગમાં વિજેતા થયા
સાવરકુંડલા ખડસલી લોકશાળામાં રહેતા અને તાલુકા ગામ સેવા મંડળના પ્રમુખ એવા મનુભાઇ મહેતાને 9પ વર્ષની વયે કોરોનાનું ગ્રહણ લાગ્યું. લલ્લુભાઈ શેઠ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કર્યા. દસ દિવસની ભારે જહેમત અને ડોકટરો તેમજ સ્ટાફની મહેનત રંગ લાવી. જોકે મનુભાઇનો આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્વનો હતો.
શરીરમાં અન્ય બીમારીઓ હોવા છતાં આત્મવિશ્વાસ અને ડોકટર અરવિંદ શર્મા અને તેમના સ્ટાફની મહા મહેનત કોરોનાને મહાત આપવામા કારગત નીવડી. મનુભાઇએ દશમે દિવસે સ્વસ્થ છે. ગૃહપ્રવેશ કર્યો, હોસ્પિટલ સ્ટાફ પરિવારજનોની હાજરીમાં ફૂલડે વધાવી પોતાને ઘરે પરત ફરી નવા જીવનમાં ખડખડાટ હાસ્ય અને પોતાના દસ દિવસના અનુભવો પરિવાર અને અંગત લોકો સાથે શેર કર્યા.
મનુભાઇએ જણાવ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. આત્મવિશ્વાસ જરૂરી છે અને વેકિસનના બે ડોઝ એટલા જ મહત્વના છે તેઓએ વેકસીના બે ડોઝ પૂરા કર્યા છે અને જયારે સમય મળે જયારે તમારો વારો આવે ત્યારે બે ડોઝ વેકસીનના પૂરા કરજો આત્મ વિશ્વાસ રાખજો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કપહેરજો કોરોના તમારી નજીક નહીં આવી શકે. આમ કોરોના મહામારીમાં એક બાજુ ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે અને એમાં અનેક વૃદ્ધો કોરોનાનો જંગ હારી ગયા છે. એવી પરિસ્થિતિમાં મનુભાઈ મહેતાનું ઉદાહરણ અનેક લોકોને અનુકરણીય બનશે તે હકીકત છે.
Recent Comments