ધારીનાં ગ્રામ્ય વિસ્તારમાં કમૌસમી વરસાદથી ખેડૂતોનાં જીવ તાળવે ચોંટયા
અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી દિવસોમાં “તૌકતે” વાવાઝોડુ ત્રાટકવાની શકયતા હોય. તે પૂર્વે અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં ગીરકાંઠાનાં અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવો વરસાદ પડતાં ખેડૂતોને ઉનાળુ પાક તથા કેરીનાં પાકને વ્યાપક નુકસાન થયાનું જગતાત જણાવી રહૃાો છે.
ધારી તાલુકાનાં સરસીયા ગામે સતત કમૌસમી વરસાદ પડે છે જેને લઈ વ્યાપક નુકસાન થઈ રહૃાું છે.
આ ઉપરાંત ધારી તાલુકાનાં વિરપુર, માધુપુર, ઢાંગલા, કુબડા, ગોવિંદપુર સહિત આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવન સાથે ગાજવીજ સહિતનો વરસાદ પડયાનાં અહેવાલો મળી રહૃાાં છે. અને વરસાદનાં કારણે વિરપુર ગામનીબજારોમાં પાણી વહેતા થયા હતા. જયારે કુબડા ગામે પણ એક વૃક્ષ ધરાશયી થયાનું જાણવા મળી રહૃાું છે.
આગામી દિવસોમાં “તૌકતે” વાવાઝોડુ આવે તેવી શકયતાઓને લઈ વહીવટીતંત્ર ઘ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે અને ઉભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા તથા વાવઝોડાથી ઓછામાં ઓછું નુકસન થાય તે માટે એકશન પ્લાન ઘડાયો છે.
Recent Comments