ખાતરમાં ભાવ ઘટાડા બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ પૂર્વ ચેરમેન, ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની પ્રતિક્રિયા : ખાતરમાં ભાવ ધટાડો આવકાર્ય પણ ખેડૂતોને મૂંઝવતા અને પ્રશ્નો અંગે તર્ક-વિતર્ક.
ખાતરમાં ભાવ ઘટાડા બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ પૂર્વ ચેરમેન વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય પ્રતિક્રિયા આપી હતી. ખાતરમાં ભાવ ધટાડો આવકાર્ય પણ ખેડૂતોને મૂંઝવતા અને પ્રશ્નો, તર્ક-વિતર્ક.
*ખેડૂતોના ખંભે બંધુક રાખી કંપનીઓને કમાવી આપવાનો કારશો*
*ખાતરનો ભાવ વધારો, વિરોધ અને ભાવ ઘટાડા પાછળ સરકારની મેલી મુરાદ*
*DAP માં ભાવ ધટાડો જાહેર કર્યો અન્ય ખાતર બાબતે હજુ કોઈ ખુલાસો કરવમાં ન આવ્યો*
*ખાતર કંપનીઓ સામે કહેવાતી 56 ઈંચી સરકાર ઘૂંટણીએ પડી ગઈ*
*જનતાની તિજોરીમાંથી કંપનીઓને અને ત્યાંથી પાછલાં બારણે પાર્ટીફંડ ઉભું કરવાનું તરકટ*
*70 વર્ષમાં તબક્કાઓમાં કંપનીઓને સબસીડી 500 રૂપિયા આપી એક જ ઝાટકે સીધો 700 રૂપિયાનો વધારો કેમ ???*
*મુળભાવે ખાતર મળવાથી ખેડૂતો ખુશ છે પણ એને ખબર નથી કે પરોક્ષ રીતે નાગરિકો જ આ રૂપિયા ચૂકવવાના છે*
*આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોનો ભાવ 2008 થી 2014 વચ્ચે જે હતો એ આજે પણ નથી* ગઈકાલે કેન્દ્રીય કૃષિમંત્રીએ ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા નિર્ણય જાહેર કર્યો કે ખેડૂતોને DAP ખાતર હવે 2400 ના બદલે 1200 માં જ મળશે ત્યારે અનેક સવાલ ઉભા થાય છે જ્યારે ખાતર ઉત્પાદક કંપનીઓએ સીધો 53% જેટલો ભાવ વધારો જાહેર કર્યો કેન્દ્રના અને રાજ્યના મંત્રીઓ ખાતર કંપનીઓના બચાવમાં આવ્યા અને નિવેદનો આપવા લાગ્યા કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થયો છે એટલે ખાતર ઉત્પાદક કંપનીઓ પાસે ભાવ વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી પણ અધૂરા અભ્યાસ સાથે અને મેલી મુરાદ સાથે ખાતર કંપનીઓનો બચાવ કરવા આવેલા આ મંત્રીઓને એ યાદ ન રહ્યું કે ભૂતકાળમાં UPA સરકારમાં 2008 થી 2014 વચ્ચે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાસોનો જે ભાવ હતો એ ભાવ આજે પણ નથી અને 2008 થી 2014 વચ્ચે ખાતરની થેલીનો ભાવ 450 ની આસપાસ હતો
ત્યારે કંપનીઓને 450 માં જો પોસાતું હોય તો અત્યારે કેમ ન પોસાય ????પણ આખી રમત જ અલગ છે ખાતર કંપનીઓ ભાવ વધારો ઝીંકી દયે પછી ખેડૂતો વિરોધ કરે એ સ્વાભાવિક છે એટલે સરકાર અને મંત્રીઓ હરકતમાં આવે પાછલા બારણેથી સેટિંગ થાય અને ભાજપા માટે સરકારી તિજોરીમાંથી ચૂંટણી ફંડ ઉભું થાય એટલે જ ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એ “”મોદી હૈ તો મુમકીન હૈ”” કહેવત યથાર્થ થતી હોય તેમ ખાતર કંપનીઓને અપાતી સબસીડીમાં 140% નો વધારો એટલે કે જે એક થેલીએ 500 રૂપિયા આપતા હતા તે વધારીને 1200 કરી દેવાયા આ બાબતથી અભણ ખેડૂત સ્વાભાવિક છે કે ખુશ થાય કેમ કે જુના ભાવે ખાતર મળશે બધા ખેડૂતો અર્થશાસ્ત્રી તો છે નહીં કે એને ખબર પડે કે આ 700 રૂપિયા એક થેલીએ વધારાના આપવાના છે એ પણ એના જ ગજવામાંથી જવાના છે આ સરકારમાં બેઠેલા કોઈના કરિયાવરના રૂપિયા નથી જનતાની તિજોરી પર જ ભારણ પડવાનું છે આખી રમત ખેડૂતોના ખંભા પર બંધુક રાખી રમવામાં આવી, ખાતર કંપનીઓને અપાતી સબસિડીમાં તબક્કાવાર વધારો કરી 70 વર્ષમાં એક થેલીએ માત્ર 500 રૂપિયા સુધી જે સબસીડી અપાતી હતી એ મોદી સરકારે એક જ જાટકે તેમાં રૂપિયા 700 નો વધારો કરી 1200 રૂપિયા કરી આપી મતલબ સાફ છે કે આટલો વધારો કરવા પાછળ સરકારની મેલી મુરાદ છે અથવા તો કહેવાતી 56 ઉંચી સરકાર ખાતર કંપનીઓ સામે ઘૂંટણિયે પડી ગઈ છેવિરજીભાઇ ઠુંમર ધારાસભ્યપૂર્વ ચેરમેનગુજરાત કિસાન કોંગ્રેસ
Recent Comments