વિદ્યાસભા સંસ્થામાં પ્રમુખ વસંતભાઈ ગજેરાના જન્મદિવસે વૃક્ષો વાવી જન્મ દિવસ ઉજવવામાં આવ્યો
.
અમરેલી, વતનના રતન શ્રી વસંતભાઈ ગજેરાનો 25 મે ના રોજ જન્મદિવસ નિમિત્તે વિદ્યાસભા સંસ્થામાં કેમ્પસ ડાયરેકટરશ્રી હસમુખભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સંસ્થાની પ્રથા મુજબ વૃક્ષા રોપણ કરી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, આ દિવસે તમામ સ્ટાફ પોતાના ઘર ખેતર અથવા તો કેમ્પસ પરિસરમાં એક-એક વૃક્ષ વાવી વસંતભાઈ ને શુભેચ્છા પાઠવેલ અને અમરેલી પ્રત્યે જેમણે શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે સેવાઓની હરણફાળ ભરી છે, એવા “વતનના રતન” અગ્રણી કેળવણીકાર ડાયમંડ કીંગ વતન પ્રેમી વસંતભાઈ ગજેરાનો જન્મદિવસ હોય ત્યારે આવા ભામાશા ને અમરેલીના આગેવાનોએ પણ શુભકામના પાઠવી દીર્ઘાયુ પ્રદાન થાય અને અવિરત સેવાકાર્ય કરવાની શક્તિ મળતી રહે તે માટે સંસ્થાના કર્મચારીઓએ પ્રાર્થના સહ શુભેચ્છા પાઠવેલ હતી તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે
Recent Comments