તાઉતેની તારાજી સામે અમદાવાદની સૃષ્ટી સંસ્થાએ સેવાયજ્ઞ થી માનવતાની મહેક પ્રસરાવી,ગીરના નેસડામાં ૧૦ હજાર નળીયા વિતરણ
તાઉતે વાવાઝોડા માં સમગ્ર અમરેલી અને ગીર સોમનાથ નાં કેટલાય વિસ્તારો માં ભયંકર તારાજી સર્જાઈ છે. હજી સુધી ગીર નાં છેવાડા ના એવા કેટલાય વિસ્તાર છે જ્યાં તંત્ર પહોચી શક્યું નથી અને આજે પણ ત્યાં વીજળી અને પાણી જેવી સુવિધા પહોચી નથી.આવા છેવાડાના વિસ્તારો માં આ સંસ્થા દ્વારા લોકો માટે જરૂરી રાશન કીટ પહોચાડવા ની વાત હોય કે લોકો ના ઘર પર ની છત ઊભી કરવાની વાત હોય તેમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી અને આ સંસ્થા એ માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજના સમય માં લોકો ને ૫૦ રૂપિયા જેવી રકમ ચુકવવા છતાં નળિયા મળતા નથી અને લોકો ને ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો હોય ત્યારે આ સંસ્થા દ્વારા ગીર નાં છેવાડા ના ગામો માં વિનામૂલ્યે નળિયા પહોંચાડી લોકો ના આશ્રય માટે જરૂરી એવી છત ના નિર્માણ માટે મહત્વપર્ણ ભૂમિકા ભજવવા માં આવી રહી છે.
પ્રોફેસર અનિલ ગુપ્તા સર ના માર્ગદર્શન નીચે આ સેવાયજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે અને છેવાડા ના જરૂરીયાતમંદ લોગો સુધી પહોંચી અને તેમની તકલીફ સમજવામાં આ સંસ્થા સફળ રહી છે અને તેમણે આ સેવાયજ્ઞ થી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સૃષ્ટિ ના ચેતનભાઈ પટેલ દ્રારા અહીં કાર્ય કરતી ટીમ ના સતત સંપર્ક માં રહી અને ખૂબ મહત્વપૂર્ણ ભુમિકા ભજવી છે.
Recent Comments