સાવરકુંડલા-લીલીયા તાલુકા માં ખેતીવાડી વીજ ધારકોને ૬ માસ બીલ માફ અને ચોમાસાની ઋતુ પહેલા પડી ગયેલા પોલ ઉભા કરવાની મુખ્યમંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ગત તારીખ ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ “તાઉતે”વાવાઝોડા ને કારણે સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામોમાં ખેતીવાડીને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે.તેમજ હાલમાં ઘણા પોળ પડી ગયેલા છે ટુક સમયમાં ચોમાસાની ઋતુમાં ખેતરોમાં પોલ ઉભા થઇ શકે નહીં જેથી ખેડૂતોને દિવાળી સમય સુધી પાવર નહિ મળે જેથી હાલમાં ફક્ત પોલ ઉભા કરવામાં આવે તાર અને અન્ય કામગીરી ભલે પછી કરવામાં આવે અને ખેતીવાડી વીજલાઈન ને નુકશાની થવાથી છેલ્લા 15 દિવસથી ખેતીવાડી વીજળી ખેડૂતોને મળેલ નથી તેમ છતાં ખેડૂતોને તંત્ર દ્વારા એવરેઝ બીલ આપવામાં આવે છે, જેમાં ખેડૂતો દ્વારા વીજળી નાં હોવાથી વીજળી નો ઉપયોગ નથી થતો નથી અને તેમના ખેતીના કામો સંપૂર્ણપણે બંધ હોય, તેમ છતાં તંત્ર દ્વારા મસમોટા એવરેઝ બીલ આપવાથી ખેડૂતોને આવા કપરા સમયમાં હાલાકી ભોગવી પડે છે, તેમની ધારાસભ્ય શ્રીને જાણ થતા અને હાલ ધારાસભ્યશ્રીના પ્રવાસ દરમ્યાન તમામ ગામોમાં ઘટના સ્થળે રુબરુ મુલાકાત લેતા માલુમ પડેલ છે, ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા ખેડૂતો હેરાન પરેશાન નાં થાય અને તેમને હાલના સંજોગોમાં આર્થિક સંકડામણ ઉભી નાં થાય તે માટે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી શ્રી ગુજરાત સરકારશ્રી ને પત્ર પાઠવીને -સાવરકુંડલા-લીલીયા તાલુકાના ખેડૂતોને ખેતીવાડી વીજધરાકોને હાલ ૬(છ) માસ સુધી વીજ બીલ માફ કરવા ભલામણ કરવામાં આવેલ છે.
Recent Comments