તાઉ’તે વાવાઝોડાની કુદરતી આફતથી માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુકસાન સામે રૂ. 105 કરોડનું રાહત સહાય પેકેજ ને આવકારતા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા
હાલ થોડાક દિવસો પહેલા ગુજરાતમાં થયેલ વાવાઝોડાની કુદરતી આફત થી દરિયા વિસ્તાર તેમજ જમીન વિસ્તારમાં ખુબ નુકશાન થયેલ છે. જેમાં ખાસ કરીને દરિયા કાઠે આવેલ વિસ્તાર જેવા કે જાફરાબાદ અને રાજુલા વિસ્ર્તારમાં દરિયા ખેડુ ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે જે નુકશાન થયેલ છે તેની માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુકસાન સામે સહાય પેટે થયેલા નુકસાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50 ટકા અથવા રૂ. 35,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. નાની બોટ પૂર્ણ નુકસાન પામી હશે તો આવી બોટની કિંમતના 50 ટકા અથવા રૂ. 75,000 બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુકસાન સામે રૂ. 105 કરોડનું ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને તેની ટીમ દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવા બદલ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ આવકારેલ
Recent Comments