fbpx
અમરેલી

કેજરીવાલે કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેરને આપમાં જાેડાવા આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું

ગુજરાતમાં સોમવારે અરવિંદ કેજરીવાલે આપના પ્રદેશ કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત યોજ્યા બાદ દિલ્હી જઈને ગુજરાતના ધારાસભ્યને આપમાં જાેડાવાનું આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું છે.
મળતી વિગતો પ્રમાણે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની એક દિવસીય મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી તો ગુજરાતના પત્રકાર ઇસુદાન ગઢવીને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા. આ સાથે જ તેમણે પત્રકાર પરિષદ યોજીને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે, ગુજરાતના ખેડૂતો આપઘાત કરે છે અને જનતા પરેશાન છે.

કોંગ્રેસી ધારાસભ્યએ જણાવ્યું કે, ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે દિલ્હી પહોંચ્યા બાદ કોલ કરીને રાજુલા રેલવે જમીન વિશે પણ વાત કરી હતી અને આપમાં જાેડાવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. આપના આમંત્રણ મુદ્દે વધુમાં તેમણે કહ્યું કે, હું આગળની રણનીતિ અંગે વિચારીશ, હાલ હું રેલવે સામે આંદોલન કરી રહ્યો છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/