આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરના મુખ્ય હોદ્દેદારોની નિમણૂંક આપવામાં આવી
અમરેલી શહેરમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા શહેરના મુખ્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી..
જેમાં..
શહેર પ્રમુખ તરીકે
~ભાર્ગવભાઈ એલ મહેતા.
શહેર મહામંત્રી તરીકે
~વિનોદભાઈ જાવિયા.
અને શહેર સંગઠન મંત્રી તરીકે
~ જયંતીભાઈ બુંધેલીયા.
ની આજરોજ અમરેલી તાલુકા પ્રમુખ ઇન્ચાર્જ જિલ્લા ઓબ્ઝર્વર નિકુંજભાઈ સાવલિયાના હસ્તે સહર્ષ નિમણૂંક આપવામાં આવેલ છે.
નવા નિમાયેલા હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા લોકો સુધી પહોંચાડવા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલીયા,પ્રદેશ સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ નેતા ઈશુદાનભાઈ ગઢવી, સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી નિમિષાબેન ખુંટ ની મુહિમ ને આગળ ધપાવવા અને અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે અને લોકોની પ્રાથમિક જરૂરિયાત અને સુખાકારી માટે ના કામો કરવા માટે હંમેશા તૈયાર રહેવાની પ્રતિજ્ઞા કરી હતી.
Recent Comments