ખેડૂતોના હિતમાં ચણા ખરીદી માટેની સમય મયૉદા વધારવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા અમરેલીના સાંસદ
તાઉ’તે વાવાઝોડાના લીધે હજુ ઘણા ટાવરો કાયૅરત થયેલ ન હોઈ, નેટવકૅ ઈસ્યુના લીધે ખેડૂતોને મેસેજ મળતા નથી અથવા તો મોડા મળે છે – સાંસદશ્રી
અમરેલી જીલ્લાના ખેડૂતોના હીત માટે અને કોઈપણ ખેડૂત ચણા વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ચણા ખરીદીની સમય મયૉદામાં વધારો કરવા માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જીલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા અને એમ.ડી. શ્રી પટેલને ટેલીફોનીક રજૂઆત કરેલ છે.
સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ હાલમાં નીગમ દ્વારા અમરેલી જીલ્લામાં ચણા ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ખરીદ પ્રક્રિયાની અંતિમ તારીખ ૩૦ જૂન, ર૦ર૧ છે. તાઉ’તે વાવાઝોડાને લીધે અમરેલી જીલ્લાના હજુ ઘણા બધા બી.એસ.એન.એલ થી લઈ ખાનગી ટાવરો બંધ પડેલ છે અને ઘણા ટાવરો ચાલુ થયા બાદ પણ ગામડાઓમાં નેટવકૅ ઈસ્યુ રહે છે જેના લીધે ચણા ખરીદી માટેના મેસેજ ખેડૂતોને કાં તો મળતા જ નથી અથવા તો મોડા મળી રહયા છે. જેના લીધે જીલ્લાના ઘણા ખેડૂતો ચણા વેચાણથી વંચિત રહેલ છે. ઉપરાંત આજે ૩૦ જૂન ચણા ખરીદ પ્રક્રિયાની અંતિમ તારીખ હોઈ, જેથી ખેડૂતોના હીતમાં ચણા ખરીદીની સમય મયૉદામાં વધારો કરવા અને જીલ્લાના કોઈપણ ખેડૂત આ ખરીદ પ્રક્રિયામાં બાકી રહી ન જાય તે મુજબ આયોજન કરવા સાંસદશ્રીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments