દામનગર ગાયત્રી મંદિર સાંસ્કૃતિક હોલ ખાતે ડોક્ટર દિવસ નિમિત્તે નિઃશુલ્ક યોગ શિબિરનો પ્રારંભ
આજે ૧ જુલાઈ આંતરરાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દામનગર ગાયત્રીમંદિર ખાતે સવારે ૬-૦૦ કલાકે યોગ શિબિરનો ડોક્ટર અને સમાજિક અગ્રણીના હસ્તે દિપપ્રાગટ્ય કરીને શુભ શરૂઆત કરાય હતી ડોકટર સામાજિક અગ્રણી અને શિક્ષક સહિત યોગ કોચ જયદીપભાઈ ચૌહાણ, ધીરેનભાઈ અને કોશીકભાઈ એ ડૉક્ટર દિવસ નિમિત્તે બધા ડોક્ટર નું બુક આપીને સન્માન કર્યું હતું.અને તેમની સાથે મોટી સંખ્યામા યોગ સાધકો જોડાણા હતા.અને બધાએ સંકલ્પ પણ લીધો હતો દામનગર અને આજુબાજુના વિસ્તાર અને ઘર ઘર સુધી યોગને પોહ્ચાડીશું અને સ્વસ્થ,અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીશું તેવા સંકલ્પ સાથે યોગમાં જેમને જોડાવવું હોઈ તે લોકો સંપર્ક કરી શકશે મો.નં ઉપર 9723556679. યોગ ભગાવે રોગ
Recent Comments