સાવરકુંડલા મામલતદાર કચેરીમાં ખેડુતોને એન્ટ્રીમાં પડતી મુશ્કેલી તેમજ અન્ય બાબતે. મામલતદારને રજૂઆત કરતા અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી કમલેશ કાનાણી
સાવરકુંડલા મામલતદાર કચેરીમાં તાલુકાનાં ખેડૂતોને પોતાની જમીનમાં જુદી-જુદી એન્ટ્રી ઓની અરજીઓમાં જેમ કે વારસાઈ નોંધ, હયાતીમાં હકક દાખલ, બોજા નોંધ જેવી અનેક અરજીઓમાં ખૂબજ વિલંબ તેમજ તમામ કાગળો પુર્ણ હોવા છતાં વારસાઈ કે વેચાણમાં હક્ક દાખલ કરવામાં અરજીઓ રદ કરવામાં આવે છે. તેમજ રેશન કાર્ડ અને અન્ય પ્રમાણ પત્રોમાં પડતી મુશ્કેલી બાબત અનેક ફરિયાદો શ્રી કમલેશભાઈ કાનાણીને અરજદારો દ્વારા કરવામાં આવેલ.
આ બાબતે પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી દ્વારા સાવરકુંડલા મામલતદાર સાહેબને રૂબરૂ મળી ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને પડતી મુશ્કેલી બાબત રૂબરૂ રજૂઆતો કરવામાં આવેલ જે બાબતે મામલતદાર સાહેબે ખેડૂતો તથા આમ જનતાને પડી રહેલી મુશ્કેલીઓ નું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે અને ખેડૂતોની જુદી-જુદી એન્ટ્રીઓમાં પડતી મુશ્કેલી તેમજ રદ કરવામાં આવતી અરજીઓને તમામ પુર્તતા સંબંધીત કાગળો તપાસી તાત્કાલિક સુઓમોટો દાખલ કરી અરજીઓનું નિરાકરણ લાવવા સર્કલ તેમજ ઈ-ધરા નાયબ મામલતદારને સૂચનાઓ આપવામાં આવેલ છે તેમ શ્રી કમલેશ કાનાણીએ જણાવેલ છે.
Recent Comments