તાઉ-તે વાવાજોડાથી અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં સરકારી સહાયમાં આવતી ક્ષતિઓ દૂર કરવા અગ્રણીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
અમરેલી જિલ્લામા આવેલા તાઉ-તે વાવાજોડાના કારણે ખુબ જ નુકસાન થયું છે. જ્યારે રાજ્ય સરકારે વિવિધ યોજનાને લઈ કરોડો રૃપિયાનુ પેકેજ આપ્યુ હતુ. જોકે, રાજુલા-જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં સર્વે થયા બાદ કેટલાક ફોર્મ અને બેંક એકાઉન્ટમા ક્ષતીઓની સતત ફરિયાદો અને રજૂઆતો આવતા કેટલાક લોકોને સહાયના ફોર્મ ભર્યા બાદ હજુ સહાય મળી નથી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રુબરુ મળીને અગ્રણીઓએ રજૂઆત કરી હતી.
સહાયના ફોર્મ ભર્યા બાદ હજુ સહાય ન મળતાં રાજુલા-જાફરાબાદ ભાજપના પૂર્વ સંચદીય સચીવ હીરા સોલંકી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, મહેશ કસવાળા, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખો સહિત અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ આ વિસ્તારની રજૂઆતો કરી છે. જ્યારે મુખ્યમંત્રી સમસ્યાનું સત્વરે નિવારણ લાવવા ખાત્રી આપી હતી અને ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી દેવાઇ છે.
Recent Comments