છેલ્લા બે મહિનાથી ખેતીવાડીનો વીજ પુરવઠો બંધ હોવા છતાં ખેડુતોને વીજ બીલ શા માટે ? : તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
તોૈકતે વાવાઝોડાના લીધે ખેડુતોને છેલ્લા ર મહિના કરતા વધુ સમયગાળાથી ખેતીવાડીનો વીજ પુરવઠો ઠપ્પ હતો, હજુ સુધી
ઘણાં બધા ખેડુતોને ખેતીવાડીનો વીજ પુરવઠો શરૂ થયેલ નથી, પીજીવીસીએલ ખેડુતોને વીજ પુરવઠો જલ્દી શરૂ થાય તેમાં રસ નથી, તોકતે વાવાઝોડા બાદ પીજીવીસીએલની કામગીરી ગોકળગાય ગતિએ ચાલે છે અને બીલ આપવામાં પવન વેગે ખેડુતોને બીલ આપે છે.
પરંતુ છેલ્લા ર મહિનાથી ખેતીવાડી વીજ પુરવઠો બંધ હોવા છતાં ખેતીવાડીમાં મીટર વાળા વીજ કનેકશન ધરાવતા ખેડુતોને ૭૦૦ થી ૮૦૦ રૂપિયા બંધ મીટરનું બીલ ખેડુતોને પધરાવવામાં આવ્યુ છે, જો ખેડુતોને ખેતીવાડીનો વીજ પુરવઠો મળતો જ ન હોય તો અને બે મહિનાથી મીટર બંધ હોય તો વીજ બીલ શા માટે ? તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કયો.
Recent Comments