દામનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ના માર્ગદર્શન હેઠળ ૭૨ માં વન મહોત્સવ ની ઉજવણી માં શહેર માં તમામ હોમગાર્ડ જવાનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો સને ૧૯૪૯ થી ભારત સરકાર ના પર્યાવરણ પ્રેમી તત્કાલીન કૃષિ અને પર્યાવરણ મંત્રી ગુજરાત ના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશી એ શરૂ કરેલ વન મહોત્સવ મુહિમ વર્ષો થી અવિરત ઉજવાતી પ્રકૃતિ પર્યાવરણ જતન જાળવણી એટલે વન મહોત્સવ આજે દામનગર શહેર માં હોમગાર્ડ યુનિટ દ્વારા વન મહોત્સવ પ્રસંગે હોમગાર્ડ જવાનો એ શહેર માં વૃક્ષારોપણ કર્યું હતું
Recent Comments