સાવરકુંડલા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પૂ.ભયલુબાપુ પાળીયાદનું અખીલ ભારતીય સંત સમિતિમાં નિમણુંક થતા સન્માનસમારોહ યોજાશે
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિદ્યાર્થી ભવન અને મોમાઈ ધામ સાવરકુંડલા તાલુકા દ્વારા આગામી તારીખ.- ૨૧/૦૮ ને શનિવાર માં રોજ સવારે સુપ્રસિધ્ધ પાળીયાદ જગ્યા ના પ.પૂ.ભયલુભાઈ ને અખિલ ભારતીય સંત સમિતિ માં વરણી થતા તેમનું ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહ યોજાશે આ તકે પ.પૂ.યોગી શેરનાથબાપુ ગોરક્ષ આશ્રમ ભવનાથ જુનાગઢ પ.પૂ.મુકતાનંદ બાપુ ચાંપરડા પ્રમુખશ્રી અખીલ ભારતીય સાધુ સમાજ, મહામંડલેશ્વરશ્રી નિર્મળાબા વિહળધામ પાળીયાદ, પ.પૂ. વલકુબાપુ દાનબાપુ જગ્યા ચલાલા, પ.પૂ. વિજયબાપુ સતાધાર વગેરે સંતો મહંતો તથા મહામંડલેશ્વરો તથા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સાંસદ, ધારાસભ્યો વગેરે રાજકીય મહાનુભાવો તથા સમગ્ર ગુજરાત રાજ્ય માંથી કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઉપસ્થિત રહેશે તેમ અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments