ભાજપે જન આશીર્વાદ યાત્રા નહીં જનતા ની માફી માગવી જોઈએ : અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ
આ જે કોરાના ની બીમારી મોઘવારી જેવી વસ્તુ ઓ થી લોકો પીડાય રહયા છે સરકાર તમામ મોરચે નિષ્ફળ હોય ત્યારે લોકો આશીર્વાદ કઈ રીતે આપી શકે ?
સરકાર પોતાના શાસન ની નિષ્ફળતા ઓ છુપાવવા પ્રજાને પૈસે આવા ટચુકડા નામો આપી ખોટા તાયફા ઓ બંધ કરે .
અમરેલી શહેર માં આશરે લગભગ આ કોરોના ની બીજી લહેર દરમ્યાન 1500 ઉપર ના લોકો એ જીવ ગુમાવ્યા છે .. અપુરતી મેડિકલ સુવિધા ઓ ને લીધે .
પેટ્રોલ રૂપિયા /100રાંધણ ગેસ :/ 859તેલનો ડબો /2500તો જનતા ના આશીર્વાદ કઈ રીતે મળે?
કોરોના માં ભાજપ સરકાર ની અણ આવડત ના કારણે હજારો લોકો ના મૃત્યુ થયા છે સરકારી હોસ્પિટલમાં માં ઓક્સિજન નો મળવા ને લીધે લોકો તડપી તડપી પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આવા સંજોગો મા પ્રજાને પૈસે આવા ખોટા તાયફા બંધ કરી આ પૈસા નો ઉપીયોગ આગામી ત્રીજી કોરોના ની લહેર માં લોકો ને માટે મેડીકલ સુવિધા માં વધારો કરવા કરવો જોઈએ.ઓક્સિજન પ્લાન્ટ બેડ સહીત નું ઇન્ફસ્ટ્રક્ચર ઉભું કરી લોકો ના જીવ બચાવા આગળ આવવું જોઈએ દિવસે મોંઘવારી ધુસકે ને ભૂસકે વધી રહી છે પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ તેલનો ડબા સહિત નાં ભાવો આસમાને પહોંચતા દરેક પરિવાર ના રસોડા ના બજેટ વધતા બે ટકનું ભોજન લેવું અત્યંત મોંઘું બનિયુ છે આ જે કોરાના ની બીમારી મોઘવારી જેવી વસ્તુ ઓ થી લોકો પીડાય રહયા હોય તો આશીર્વાદ કઈ રીતે આપી શકે ?
Recent Comments