શિક્ષક દીને રાષ્ટ્રના નાગરિકોનું મીષ્કર્ષ ધડતા શિક્ષકોની કદર કરાય તેજ પ્રાર્થના
Inbox
આજે શિક્ષક દિન ડો રાધાકૃષ્ણન ના જન્મ દિન શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ પણ શિક્ષકો ની કદર ક્યારે ? “શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે હૈ” રાષ્ટ્ર ના નાગરિકો નું મીષ્કર્ષ ધડતા શિક્ષકો ની કદર ત્યારે જ સાર્થક થાય જ્યારે શિક્ષણ ક્ષેત્રે આવેલ અનેકો ખોટી નીતિ ઓ બંધ કરાય શોષણ બંધ કરાય આવતા ભવિષ્ય ના નાગરિકો ઘડતર કરનાર રાષ્ટ્ર ના ખરા ઘડવૈયા ની કદર કરાય મહર્ષિ પદ્ધતિ થી લઈ મેકોલે પદ્ધતિ સુધી ના શિક્ષણ માં ક્યાંય પણ શિક્ષકો ની રાય લેવાય છે ? સામાન્ય કડીયા ની છ કલાક ની મજૂરી ૭૦૦ થી ૧૦૦૦ અને વિદ્યાસહાયક શિક્ષક ની ૧૭૭ આની કરતા પણ સ્વનિર્ભર શાળા ઓના શિક્ષણ જુનિયર કેજી સિનિયર કેજી માં રીતસર નું શોષણ પ્રવેશોત્સવ મિશન ગુણોત્સવ જેવા કાર્યક્રમો એતો ધોરખોદી હજારો શિક્ષકો વિના લાખો વિદ્યાર્થી ઓ શિક્ષણ વિકાસ આંક (ઇ ડી આઈ)સતત ઉતરતો ક્રમ ખાનગીકરણ નો વાયરો સેમેસ્ટર સિસ્ટમ થી વધુ અવદશા શિક્ષણ ક્ષેત્રે અંધારું પ્રવતે શિક્ષણ ક્ષેત્રે ઓછું બજેટ ઉપરાંત શિક્ષકો પાસે બિન જરૂરી કામો બીજી બાજુ ખાનગી કરણ પછી તો શોષણ વૃત્તિ ઔર વધી
શેક્ષણિક સંકુલો વિદ્યા ધામો મટી ઈકોનોમી ગ્રોથ બનવા ભણી સમય વર્તે સાવધાન પછેડી પ્રમાણેની સોડ આજે ડો રાધાકૃષ્ણન ના જન્મ દિન ને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ પણ મહિર્ષિ પદ્ધતિ થી મેકોલે પદ્ધતિ સુધી ની શિક્ષણ નીતિ માં શિક્ષકો નો શ કાઠી નાખતી વ્યવસ્થા ઈકોનોમી ગ્રોથ નાણાં નો વરસાદ મિલો કરતા વધુ રૂપિયો રળી લેવા ની વૃત્તિ એ શિક્ષણ ક્ષેત્ર ને લોભ નો લૂંણો લાગ્યો શિક્ષણને વેપાર બનાવી દેવા માં આવ્યો સરકારી સ્કૂલમાં કે ખાનગી સ્કૂલમાં ભણ કે અંગ્રેજી સ્કૂલમાં ભણે ખરી પાયા ની કેળવણી ક્યાં? જાકમજોળ બંધ થાય તો પણ ઘણું ગળાકાપ હરીફાઈ ચલાવતી સંકુલો ના પ્રચારથી અંજાઈને વાલીઓ પણ આંધળી દોટ મુકે છે “શૂન્ય ને કોઈ પણ સંખ્યા વડે ગણવા માં આવે તો શૂન્ય આવે” દક્ષિણ ના રાજ્ય કરતા ગુજરાત નું શિક્ષણ ગોખણીયુ હૈયા ની અને હાથ ની કેળવણી ના હિમાયતી મહાત્મા ગાંધીજી એ જીવન નિર્વાહ માટે જીવન શિક્ષણ ને વધુ મહત્વ આપ્યું આપણા દેશ ના બંધારણ માં અને સુપ્રીમ કોર્ટ ના આદેશ માં ભલે કહેવાયું હોય તો પણ શિક્ષકો પાસે બિન જરૂરી કાર્યો કરાવતું દ્રશ્ય તે વિદ્યાર્થી ઓના માનસ ઉપર અમીટ છાપ છોડનારું છે અંતે શિક્ષક નું આચરણ છાત્ર માં ઉતરી આવે તે સ્વભાવિક છે સરકાર દ્વારા ચલાવતા ઓન શિક્ષક તાલીમ ની ફળક્ષુતિ શુ? પાઠયપુસ્તકો ના સુધારા વધારા અને અભ્યાસ ક્રમો માં ફેરફાર માં શિક્ષકો ની રાય લેવાય છે ? કોનવેન્ટ સ્કૂલો અને છેવાડે ના ગામડે ભણતો વિદ્યાર્થી વચ્ચે સમાન પરીક્ષા યોગ્ય છે ? માંગ્યા બળદ ને પોરો ન હોય તેમ શિક્ષકો પાસે ચૂંટણી સહિત અનેક પ્રકાર ના સર્વે અન્ન પુરવઠા વિતરણ સહિત અનેક અનેક કામો કેટલા વ્યાજબી ? શિક્ષક ને કુંભાર સાથે સરખાવવા માં આવે છે માટી ને સાંકડે ચડાવી ધારે તેવો આકાર આપી સુંદર ધડો બનાવે તેમ વિદ્યાર્થીઓનું સુંદર ભવિષ્ય ધડતા શિક્ષકો ને શિક્ષણ દીને યાદ કરી તેનો વિવિધ પુરસ્કારો થી સન્માન કરાય છે પણ શિક્ષણ ક્ષેત્રે જેટલું લખી એટલું ઓછું છે વાસ્તવિક આંકડા અને હકીકત ખૂબ ભયાનક છે અધકચરુ જ્ઞાન અલ્પ અમલ અમલ થી બદનામ કરવા ની વૃત્તિ અને સત્તા પાસે શાણપણ નકામું શિક્ષક દીને ભારત ના ભાવિ નાગરિકો નું ઘડતર કરતા સર્વ શિક્ષકો ને મનવંદન
Natvarlal Bhatiya |
Recent Comments