મતદારયાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ, ૧/૧/૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનોએ નોંધણી કરાવી લેવી
મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૦૧.૦૧.૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વર્ષ પૂર્ણ કરેલ હોય, તે મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકે છે. આ માટે સંબંધિત નાગરીકોએ નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તથા ફોર્મ નં. ૬ ભરવાનું રહેશે. આ સિવાય ઓનલાઇન માધ્યમથી https://nvsp.in વેબસાઇટ દ્વારા તથા મોબાઇલ એપ્લીકેશન Voter Helpline મારફત પણ તે અરજી આપી શકશે. આ સિવાય મતદારયાદીમાંથી નામ કમી કરવા ફોર્મ નં.૭ પણ ભરી શકાશે તેમજ મતદારયાદીમાં પોતાનુ નામ ધરાવતા મતદારો પોતાના નામ, જન્મતારીખ, ફોટોગ્રાફ વિગેરે જેવી વિગતો સુધારવા ઈચ્છતા હોય તો ફોર્મ નં.૮ ભરી સુધારાની અરજી કરી શકે છે. અમરેલીની જાહેર જનતા કે જે મતદારયાદીમાં મતદાર તરીકે નોંધાયેલ નથી તેમજ યુવા મતદારોને મતદારયાદીમાં નોંધણી કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી અનુરોધ કરવામાં આવે છે. વધુ માહીતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર(ટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.
Recent Comments