ભાજપ સરકારે તો મુખ્યમંત્રીનો ચહેરો બદલિયો પણ ગુજરાતમાં વસતા દરેક પરિવારના લોકોની પીડા કોણ બદલશે? ચહેરો નહીં નીતિ બદલો : અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ
ગુજરાત માં છેલ્લા 25 વર્ષ ના સળગ શાશન પછી પણ દિવસે ને દિવસે આર્થિકમંદી માં ગુજરાત સપડાયું છે. મોંઘવારી ના કારણે લોકો ને બે ટકનું ભોજન મેળવવુ પણ મુશ્કેલ બન્યું છે રાંધણ ગેસ નો બાટલો .તેલ શાકભાજી સહિત ના ભાવ આસમાને હોવાના કારણે. ગુજરાત માં વસતા દરેક પરિવારો નું બજેટ ખોરવાઈ ગયું છે આજે ગુજરાત નો યુવાન રોજગારી ના સૉર્ષ નો હોવાથી ને આર્થિક મંદી ના કારણે ઉધોગ ધંધા દિવસે ને દિવસે બંધ થવાથી હજારો યુવાનો બેરોજગારી ના ભરડામાં આવી ગયા છે ગુજરાત માં નશાબંધી નો કાયદો તો છે પણ હાલ માં કાયદો વેવસ્થા ભાગીને ભુકો થઇ ગયા છે બેફામ બની છે નશાખોરી.નફાખોરી કાળાબજાર.અત્યાચાર. ભ્રષ્ટાચાર.. ગરીબીકુપોષણ. કર. શોષણ ખેડૂતો ને પોતાની ઉપજ ના પોષણ સમ ભાવ નથી મળતા જે ને લીધે આજ ગુજરાત ના ખેડૂતો પાયમાલ થયાં છે દિવસે ને દિવસે સરકારી શાળા ઓ બંધ થતાં શિક્ષણ મોંઘુ બનીયું છે આત્મ હત્યા અને આરોગ્ય સેવાની ઉણપ જેવી વધતી સમસ્યા ઓથી આજ ગુજરાત માં વસતા તમામ પરિવાર ના લોકો પીડાય રહ્યા છે ત્યારે ભાજપ સરકાર અને માન નવનિયુક્ત મુખ્યમંત્રી ને ઉપરોક્ત તમામ સમસ્યા તાત્કાલિક અસરથી હલ કરવા ગુજરાત માં વસતા તમામ પરિવારો ના લોકો ના હિત માં વિનંતી સહ માગણી કરતા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા
Recent Comments