આશાવર્કર બહેનોના પ્રશ્નોની રજુઆત ડીડીઓને કરતા : અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આશાવર્કર બહેનોની પરિસ્થિતીખુબ જ દયનીય છે, ગુજરાત સરકારના તમામ સરકારી કાર્યક્રમમાં મહત્વની ભુમિકા ભજવનાર આશાવર્કર બહેનોની આજે હાલત કફોડી બની ગઈ છે, ગુજરાત સરકારના વેકસિનેશન કાયકરમ મીશન ઈન્દ્રધનુષ કાર્યક્રમમાં આશાવર્કર બહેનોનું મહત્વનું યોગદાન રહયું છે,
મીશન ઈન્દ્ર ધનુષમાં આશાવર્કર બહેનોને વર્ષ ર૦ર૦ તથા વર્ષ ર૦ર૧ નું વેતન બાકી છે, તથા પ૦% લેખે પગાર વધારો જાન્યુઆરી ર૦ર૧ થી ઓગસ્ટ ર૦ર૧ સુધી એટલે કે આઠ માસથી પગાર વધારો આપવામાં આવેલ નથી. દીવસ રાત જોયા વગર તનતોડ મહેનત કરનાર આશાવર્કર બહેનોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા અમરેલીજિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી અને રૂબરૂ મળીને અમરેલી તાલુકા કોંગેસ પ્રમુખ મનીષ ભંડેરી, અને મહામંત્રી વિપુલ પોંકિયાએ રજુઆત કરી હતી.
Recent Comments