અમરેલી જિલ્લામાં ૨ થી ૮ ઓકટોબર દરમિયાન નશાબંધી સપ્તાહ ઉજવાશે
વ્યસનોથી થતા નુકશાન સામે લોકોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે
સમગ્ર રાજ્યમાં ગાંધી જયંતિ નિમિત્તે ૨જી ઓકટોબર થી ૮ ઓકટોબર દરમિયાન વિવિધ પ્રકારના નશાબંધી પ્રચાર અંગેના કાર્યક્રમો દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. નશાબંધી સપ્તાહ દરમિયાન માદક દ્રવ્યોનું સેવન તથા અન્ય કુટેવો જેવી કે બીડી, સીગારેટથી થતા નુકશાન સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે દેશમાં ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લઇ ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર ઘનિષ્ટ કાર્યક્રમો હાથ ધરાશે.
નશાબંધી સપ્તાહ દરમિયાન જિલ્લાના મુખ્ય મથકે, તાલુકા મથકોએ તથા વધુ વસ્તીવાળા ગામોમાં વ્યસન મુુક્તિ અંગે જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાશે. આ કાર્યક્રમોમાં દરમિયાન કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સનો જેવી કે માસ્કનો ઉપયોગ કરવો, સેનેટાઈઝરથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું વગેરેનું ફરજિયાત ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
Recent Comments