fbpx
અમરેલી

બાબરાની સગર્ભા મહિલા અને તેના ર નવજાત શિશુની જિંદગી બચી ગઈ

બાબરા તાલુકાના ચરખા ગામે મંગુબેન સુનિલભાઈ બારડોલે નામની 30 વર્ષની સગર્ભા માતાને  વહેલી સવારે 06.39 વાગ્‍યાના સુમારે પ્રસૂતિની પીડા ઉપાડતાં બાબરા 108 નો સંપર્ક કરવામાં આવ્‍યો હતો.

આ અંગેની જાણ થતાં જ બાબરા 108 ના ઇ. એમ.ટી. જયદીપ ગરણીયા અને પાયલોટ જગદીશ દેવમુરારી ગણતરીની મિનિટોમાં જ  બાબરા તાલુકાના ચરખા ગામે પહોંચી ગયા હતાં. તે સમયે વહેલી સવારના 06-39 વાગ્‍યાં હતાં. ચારે તરફ સુમસામ અને બીજી તરફપ્રસૂતાનો ચિત્‍કાર, કંઈક અણધાર્યું બનાવવાનો સંકેત આપી રહ્યો હતો. પરંતુ જેનું નામ 108ની સેવા છે એવી સ્‍વાસ્‍થ્‍ય સેવાના એમ્‍બ્‍યુલન્‍સમાં રહેલ સ્‍વાસ્‍થ્‍ય સેવકોએ પ્રાથમિક તપાસ કરતાં સગર્ભા માતાનો  દુઃખાવો વધારે અને અસહનીય હોવાં સાથે જોડાયા બાળકો હોવાનું માલુમ પડયું.

આ ઉપરાંત પ્રસૂતિની પીડા અને ખાસ્‍સો સમય થયો હોવાથી અને ટ્‍વીન્‍સ બાળકો હોવાને કારણે પ્રથમ બાળકનું માથું ગર્ભાશયની બહાર આવી ગયું હતું. બાળકનો માથાનો ભાગ બહાર આવી ગયો હોવાથી ડિલિવરી ત્‍યાં જ કરાવવી પડે તેવી સ્‍થિતિ હતી. સગર્ભાને હોસ્‍પિટલ પહોંચાડવામા આવે તો રસ્‍તામાં જ સગર્ભાઅને તેના બંને બાળકો પર જીવનું જોખમ બને તેમ હતું.

આ સંજોગોમાં 108ના સ્‍ટાફે ત્‍યાં સ્‍થળ પર જ સગર્ભા માતાને 108  એમ્‍બ્‍યુલન્‍સમાં લીધી અને પરિસ્‍થિતિને અનુલક્ષીને એમ્‍બ્‍યુલન્‍સમાં જ પ્રસૂતિ કરાવી હતી.

પરંતુ ડિલિવરીમાં પ્રથમ બાળકનો જન્‍મ થયા બાદ આ બાળક બિલકુલ હલન-ચલન કરતું  નહતું કે રડતું નહોતું. આ ઉપરાંત બાળકના હૃદયના ધબકારાનો દર પણ ખૂબ નીચો હતો.

આ સંજોગોમાં બાળકનું જીવન જોખમમાં મુકાયું હતું તેથી 108ના સ્‍ટાફે તાત્‍કાલિક નિર્ણય લઇ આ બાળકના હદય પર કુત્રિમ દબાણ તથા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું ચાલુ કર્યું સાથે-સાથે ફોન પર ઈમરજન્‍સી સેન્‍ટરમાં બેઠેલા ફિઝીશ્‍યન ડોક્‍ટરની સલાહ મુજબ કામ કરવાનું ચાલુ રાખ્‍યું. સારા કાર્યમાં કુદરત પણ સહાય કરતી હોય છે તેમ આ કિસ્‍સામાં પણ થોડા સમયમાં જ બાળકનું હૃદય સારી રીતે ધબકવા લાગ્‍યું.

ત્‍યારબાદની ર0 મિનિટ બાદ બીજા બાળકની પણ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી અને બંને બાળકો સારી રીતે રડવા લાગ્‍યાં હતાં.આમ, માંગુબેનની વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા હતાં. આમ, 108ની ત્‍વરિત અને તાત્‍કાલિક સેવાને કારણે બંને નવજાત શિશુને નવજીવન મળ્‍યું હતું સાથે-સાથે જોખમી માતાને પણ પ્રસૂતિની પીડામાંથી મુક્‍તિ અપાવી જીવ બચાવ્‍યો હતો. આમ, 108ની સેવાને લીધે એક સાથેત્રણ લોકોનો જીવ બચાવી શકાયો હતો.

આ બંને નવજાત શિશુને ત્‍યારબાદ ઓક્‍સિજન અને જરૂરી દવા આપીને તેમને વધુ સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર, બાબરા ખસેડવામાંમાં આવ્‍યાં હતાં. ફરજ પરના ડા. વ્‍હોરા દ્વારા તપાસ કર્યા બાદ બંને બાળકો અને સગર્ભા સ્‍વસ્‍થ હોવાથી પુષ્ટિ કરી અને હાલમાં માતા અને બાળકની તબિયત તંદુરસ્‍ત છે.

આ ક્ષણે સગર્ભા માતાના પરિવારજનો સરકારશ્રીની યોજનાનો આભાર વ્‍યક્‍તત કરી જણાવ્‍યું હતુંકે, જો આજે 108ની સેવા ન હોત તો અમે અમારી પુત્રવધુ અને સાથે સાથે તેના બે કુમળા બાળકોને પણ ગુમાવી બેઠા હોત અને જો તેવું થયું હોત તો અમે અમારી જાતને કોઈ દિવસ માફ ન કરી શકત, તે સાથે સમાજને અને પુત્રવધુના પરિવારને અમે શું જણાવ્‍યું હોત…??? તેની કલ્‍પના જ ખૂબ ભયાનક લાગે છે તેમ તેમણે અહોભાવ ભાવ વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું.

આમ, સરકારની નિઃશુકલ 108 એમ્‍બ્‍યુલસ સેવા એક કોલ પર ત્‍વરીત મળી રહે છે સાથે રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ના સહકાર સાથે અનેક લોકોના જીવ બચાવી શકાયાં છે. ખરા અર્થમાં 108ની સેવા માતામૃત્‍યુ દર અને બાળમુત્‍યુ દર ઘટાડવામાં 108ની સેવા અગત્‍યની ભૂમિકા ભજવી રહી છે.

જિલ્લાની કોઈ પણ મેડિકલ ઇમર્જન્‍સીને પહોંચી વળવાં માટે તાલીમબદ્ધ કર્મચારીઓથી સુસજ્જ એવી અમરેલીજિલ્લાની 108 ની સેવા હંમેશા તત્‍પર અને કટિબદ્ધ રહે છે તેમ 108 સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતનભાઈ ગાધેએ જણાવ્‍યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/