ચાલુ વરસાદે સરભંડા તા.પં. ચુંટણીમાં પ્રચાર પ્રસાર કરતા ડી.કે. રૈયાણી સહિત કોંગી કાર્યકર્તાઓ
ખેડૂતો વિરોધી સરકારની નિતી ઘડનાર સરકારને સણસણતો જવાબ આપવા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ચુંટી કાઢી મતદાન કરવા હાંકલ કરતા કોંગ્રી કાર્યકર્તાઓ
સરંભડા તાલુકા પંચાયત અમરેલીની ચુંટણી આગામી તા. ૦૩–૧૦–ર૦ર૧ ને રવિવારના રોજ થનાર છે. ત્યારે અગાઉ ફેબ્રુઆરી–ર૦ર૧ માં કોંગ્રેસ પક્ષ તરફથી સ્વ. કમળાબેન ગોરધનભાઇ દુધાત પ૪૦ મતોથી વિજય થયેલ પરંતુ સ્વ. કમળાબેન દુધાતનું દુ:ખદ અવસાન થતા આ ખાલી પડેલ બેઠક ઉપર ચુંટણી આવી છે ત્યારે તેમાં કોંગ્રેસ પક્ષ તરફથી શ્રીમતી રંજનબેન મથુરભાઇ દુધાતને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવેલ છે. ત્યારે છેલ્લા રપ વર્ષથી ગુજરાત સરકારના શાસનમાં આમ જનતાનો શ્વાસ રૂંધાયેલ છે ત્યારે ભ્રષ્ટાચાર અને અત્યાચારએ ભાજપનો શિષ્ટાચાર થઈ ગયેલ હોય ત્યારે ભુખમરામાં આખુ ભારત નં. ૧ બનવા આગળ વધી રહયુ છે ત્યારે આ નિષ્ફળતાને છુપાવવા માટે મોટા મહોત્સવો અને મોટા તાઇફાઓ દવારા સરકારી તીજોરી લુટી રહેલી આ સરકારને જાકારો આપવા અને ખેડૂતો વિરોધી સરકારની નિતી ઘડનાર સરકારને સણસણતો જવાબ આપવા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ચુંટી કાઢી મતદાન કરવાનો ચાલુ વરસાદે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી, જિલ્લા કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ્ા પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઈ ભંડેરી, તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલ પ્ાોકીયા, અમરેલી શહેર કોંગ્રેસ એસ.સી. સેલ ના પ્રમુખ ડી.ડી.પ્ારમાર, યુવક કોંગ્રેસના દેવરાજ બાબરિયા, મોનિલ ગોંડલીયા, જયરાજભાઈ જળું, રામભાઇ દવે, પ્રવીણ કમાણી, રાવતભાઈ ધાધલ, આકાશ કાનપ્ારિયા, ભાવેશ પીપ્ાળીયા, દુદાબાપા ભગત, તાલુકા કોંગ્રેસના આગેવાન દલસુખભાઈ દુધાત સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો જોડાયા હતા.
Recent Comments