રોજગારવાંચ્છુ યુવાઓ માટે અનુબંધમ પોર્ટલ મારફતે ૧૪ ઓક્ટોબરના ઓનલાઇન ભરતીમેળો યોજાશે
રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. આગામી ૧૪ ઓક્ટોબરના સવારે ૧૧ કલાકથી એલ એન્ડ ટી સ્કીલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ સરખેજ-બાવળા જી.અમદાવાદ કંપનીમાં ભરતીની જગ્યા ઉપર કન્સ્ટ્રકશન ટ્રેઈની ધો.૧૦ થી ૧૨ પાસ આઈ.ટી.આઈ વેલ્ડર કે ફિટર ઉંમર ૧૮ થી ૩૦ વર્ષની ભરતી માટે ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પરથી આ લિંક ઉપરથી https://anubandham.gujarat.gov.in ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે રોજગાર કચેરી, બહુમાળી ભવન સી-બ્લોક અમરેલીનો અથવા ૬૩-૫૭-૩૯૦-૩૯૦ નંબર પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments