fbpx
અમરેલી

અમરેલી ખાતે બ્રહ્મસમાજનાં નિવૃત્ત થયેલ હોદ્યેદારોનો કૃતજ્ઞતા સમારોહ યોજાયો

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના નિવૃત થયેલ પ્રમુખ છેલભાઈ જોષી, મુળશંકરદાદા તેરૈયા, એમ.જી. જોષી, અશ્‍વિનભાઈ ત્રિવેદી, અશ્‍વિનભાઈ મહેતા (વડીયા) તથા ચેતનભાઈ પંચોલી (આટકોટ)ને શાલ પુષ્‍પગુચ્‍છથી સન્‍માનીત કરવામાં આવ્‍યા. તથા નવા ચૂંટાયેલા પ્રમુખ અલ્‍કેશભાઈ ભટ્ટ (બોટાદ) મહામંત્રી સમીરભાઈ જોષી તથા કુદલીપભાઈ (બોટાદ) વગેરે મહાનુભાવોનું જોષી પરિવાર ર્ેારા શાલ પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કરવામાં આવ્‍યું. તેમજ અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મસમાજ અમરેલી શહેર સમસ્‍ત બ્રહ્મસમાજ, યુવાપાંખ સમસ્‍ત બ્રહ્મસમાજના નિવૃત થયેલ હોદેદારો પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી મહામંત્રી તુષારભાઈ જોષી, મુકુંદભાઈ મહેતા, ભગીરથભાઈ ત્રિવેદી, પાર્થીવભાઈ જોષી, ગોપાલભાઈ ભટ્ટ, ભાવિનભાઈ ભટ્ટ, બીપીનભાઈ જોષી, ઘનશ્‍યામભાઈ જોષી, રસ્‍મીનભાઈ ત્રિવેદી, ધવલભાઈ ઠાકર, આનંદભાઈ ભટ્ટ, દિલીપભાઈ મહેતા, ધીરૂભાઈ ત્રિવેદી તથા સંદિપભાઈ ત્રિવેદી અને બ્રહ્મ અગ્રણીઓ ડો. વી.પી. રાવળ તથા નલીનબાપુ (નાના માચીયાળા) વગેરે મહાનુભાવોનું જોષી પરિવાર ર્ેારા શાલઓઢાડી પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું. વકતાઓ ઉદયનભાઈ ત્રિવેદી, અલ્‍કેશભાઈ ભટ્ટ, છેલભાઈ જોષી, અશ્‍વિનભાઈ ત્રિવેદી અને એમ.જી. જોષી વગેરેએ પ્રસંગોચીત ઉદ્‌બોધન કર્યા. ઉદયનભાઈ શ્રી પરશુરામદાદાના મંદિરના નિર્માણ કાર્યમાં થયેલ સુંદર કામગીરી બદલ જેણે જેણે યથાયોગ્‍ય તન-મન અને ધનથી સહયોગ આપેલ છે તે સૌને યાદ કરી અભિનંદન, આભાર સાથે શુભેચ્‍છા પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન પરશુરામદાદાના મંદિરના પટાંગણમાં બાકડા મુકાવવાની દરખાસ્‍ત થતા શ્રોતાગણમાંથી પ1 બાકડાઓની જાહેરાત થઈ ગઈ હતી. પ1 બાકડા ભેટમાં મળ્‍યા.

તેમજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના અમરેલી જિલ્‍લાના પ્રતિનિધિ અશ્‍વિનભાઈ ત્રિવેદીએ વિધવા સહાય ફંડમાં મદદરૂપ થવા અપીલ કરતા જીતુભાઈ જોષીએ રૂપિયા પ1 હજાર સહાય આપવા જાહેરાત કરી હતી અને બકુલભાઈ પંડયાએ રપ હજાર રૂપિયા આપવા જાહેરાત કરી હતી. તેમજ સંજયભાઈ જાનીએ પાંચ હજાર એકસોની જાહેરાત કરતા વિધવા સહાય ફંડમાં કુલ  રૂા. 81,100/- એકયાશી હજાર એકસો જેવી માતબર રકમનું દાન મળેલ હતું. પ્રતિભાવમાં અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી અને તેમની સમગ્ર ટીમે હસુભાઈ જોષીને શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ અને સન્‍માનપત્ર અર્પણ કરી સન્‍માન કર્યું હતું. તે ઉપરાંત સમારંભમાંહાજર અમરેલી નગરપાલીકાના ઉપપ્રમુખ રમાબેન એન. મહેતા અને સભ્‍યો ચીરાગભાઈ ત્રિવેદી, વિશાલભાઈ ઠાકર, નરેશભાઈ મહેતાએ પણ શાલ પુષ્‍પગુચ્‍છથી હસુભાઈનું સન્‍માન કરેલ હતું. ત્‍યારબાદ શ્રી પરશુરામ શરાફી સહકારી મંડળી ર્ેારા પ્રમુખ અશ્‍વિનભાઈ ત્રિવેદી મહેન્‍દ્રભાઈ શુકલ ઉદયનભાઈ ત્રિવેદી પંકજભાઈ ત્રિવેદી, રસ્‍મીનભાઈ ત્રિવેદી વગેરે ડીરેકટરોએ હસુભાઈ જોષીનું સન્‍માન કરેલ હતું. લોકસાહિત્‍ય સેતુની ટીમ ગોવિંદબાપા ગોંડલીયા, ગોરધનભાઈ સુરાણી, મહેન્‍દ્રભાઈ શુકલ તથા જગદીશભાઈ જોષી ર્ેારા શાલ, પુષ્‍પગુચ્‍છથી હસુભાઈ જોષીનું સન્‍માન કરેલ. તે ઉપરાંત નલીનબાપુ અને શરદભાઈ વ્‍યાસ ર્ેારા પણ હસુભાઈનું સન્‍માન થયેલ હતું. ત્‍યારબાદ ઔદિચ્‍ય સહસ્‍ત્ર ઝાલાવાડી બ્રહ્મસમાજના એમ.જી.જોષી, દિલીપભાઈ મહેતા અને આનંદભાઈ ભટ્ટ વગેરેએ પણ હસુભાઈ જોષીનું શાલ અને પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કરેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને એનાઉસમેન્‍ટ અમરેલી જિલ્‍લા શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ ર્ેારા તેમની આગવી શૈલીથી કરી સૌને મોજ કરાવી હતી. આભાર વિધી સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મસમાજ અમરેલી જિલ્‍લાના પ્રતિનિધિ અને પરશુરામ શરાફી સહકારી મંડળીના પ્રમુખ અશ્‍વિનભાઈ ત્રિવેદીએ કરેલ હતી. કાર્યક્રમના અંતે કંચનબહેન જોષી તથા જીતુભાઈ જોષી, કીરીટભાઈ જોષી તથા હસુદાદાજોષી, જસ્‍મીનભાઈ જોષી, ગોપાલભાઈ જોષી તથા જીજ્ઞેશભાઈ જોષી, કિરણબેન જોષી અને સમગ્ર જોષી પરિવાર કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપનાર સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનેલ હતો. ત્‍યારબાદ સૌએ સાથે મીષ્‍ટ ભોજનનો સ્‍વાદ માણી કાર્યક્રમનું સમાપન કરેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/