પીજીવીસીએલ બગસરા સબ ડિવીજનના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ
પીજીવીસીએલ બગસરા સબ ડિવીજનના નવનિર્મિત બિલ્ડીંગનું પી જી વી સી એલના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડો . ધીમંત બી , વ્યાસ સાહેબ ( આઈ એ એસ ) ના વરદહસ્તે લોકાર્પણ થયું . આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીયધારાસભ્ય શ્રી જે વી કાકડિયા સાહેબ અનિવાર્ય સંજોગો ને કારણે ઉપસ્થિત રહી શકેલ નહિ . લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય ઇજનેર ( ટેક ) કોર્પોરેટ ઓફીસ રાજકોટ શ્રી જે . જે . ગાંધી સાહેબ , મુખ્ય ઇજનેર ( મટીરીઅલ ) કોર્પોરેટ ઓફીસ રાજકોટ શ્રી પી . એચ . માવાણી સાહેબ , એડિશનલ ચીફ ઇજનેર ભાવનગર ઝોન શ્રી એ એ જાડેજા સાહેબ , અધીક્ષક ઇજનેર વર્તુળ કચેરી અમરેલી શ્રી એન આઈ ઉપાધ્યાય સાહેબ હાજર રહેલ . શાબ્દિક સ્વાગત અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી અમરેલી શ્રી એન આઈ ઉપાધ્યાય સાહેબ કરેલ . મહેમાનો નું સ્વાગત પી જી વી સી એલ મેનેજીંગ ડિરેક્ટરશ્રી ડો . ધીમંત વ્યાસ સાહેબ નું બુકે અને બુક દ્વારા સ્વાગત એડિશનલ ચીફ ઇજનેર ભાવનગર ઝોન શ્રી એ એ જાડેજા સાહેબ કરેલ , મુખ્ય ઇજનેર ( ટેક ) કોર્પોરેટ ઓફીસ રાજકોટ શ્રી જે . જે . ગાંધી સાહેબ નું પુષ્પ અને પુસ્તક દ્વારા સ્વાગત અમરેલી ડિવીજન ૨ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર શ્રી જે એન ચોધરી સાહેબ કરેલ , મુખ્ય ઇજનેર ( મટીરીઅલ ) કોર્પોરેટ ઓફીસ રાજકોટ શ્રી પી . એચ . માવાણી સાહેબ નું પુષ્પ અને પુસ્તક દ્વારા સ્વાગત બગસરા સબ ડિવીજન નાયબ ઇજનેર શ્રી જે આર વીરડીયા સાહેબે કરેલ , એડિશનલ ચીફ ઇજનેર ભાવનગર ઝોન શ્રી એ એ જાડેજા સાહેબ નું પુષ્પ અને પુસ્તક દ્વારા સ્વાગત નાયબ ઈજનેર ટેક અમરેલી ડિવીજન ૨ શ્રી કે . બી . પોકીયા સાહેબે કરેલ , અધીક્ષક ઇજનેર વર્તુળ કચેરી અમરેલી શ્રી એન આઈ ઉપાધ્યાય સાહેબ નું પુષ્પ અને પુસ્તક દ્વારા સ્વાગત નાયબ ઈજનેર સિવિલ વર્તુળ કચેરી અમરેલી શ્રી આર . આઈ . મકવાણા સાહેબે કરેલ , પ્રાસંગિક ઉદબોધન મુખ્ય ઇજનેર ( મટીરીયલ ) કોર્પોરેટ ઓફીસ રાજકોટ શ્રી પી એચ માવાણી સાહેબ તેમજ મુખ્ય ઇજનેર ( ટેક ) કોર્પોરેટ ઓફીસ રાજકોટ શ્રી જે . જે . ગાંધી સાહેબે કરેલ , નવનિર્મિત બિલ્ડીંગ ના ઉદ્ઘાટક તેમજ કાર્યક્રમ ના અધ્યક્ષ પી જી વી સી એલ મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડો . ધીમંત વ્યાસ સાહેબે અધ્યક્ષીય ઉદબોધન કરેલ . પોતાના ઉદબોધન માં બિલ્ડીંગ થી કર્મચારીઓને સુવિધા વધવાની સાથે ગ્રાહકોને અને 2 અરજદારોને પણ વધુ સારી સગવડતા આપવા તથા સાતત્યપૂર્ણ વીજપુરવઠો જાળવી રાખવા પેટાવીભાગીય કચેરી ના અધિકારી તથા કર્મચારીઓને અપીલ કરેલ હતી . સમગ્રકાર્યક્રમ ને સફળ બનાવવા માટે એડિશનલ ચીફ ઇજનેર ભાવનગર ઝોન શ્રી એ એ જાડેજા સાહેબ , અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી અમરેલી શ્રી એન આઈ ઉપાધ્યાય સાહેબ , અમરેલી ડિવીજન ૨ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર શ્રી જે એન ચૌધરી સાહેબ , નાયબ ઈજનેર ટેક અમરેલી ડિવીજન ર શ્રી કે , બી . પોકીયા સાહેબ , બગસરા સબ ડિવીજન નાયબ ઇજનેર શ્રી જે આર વીરડીયા સાહેબ , જુ.ઈ.શ્રી એસ વી જેઠવા સાહેબ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ , આભારવિધિ બગસરા સબ ડિવીજન નાયબ ઇજનેર શ્રી જે આર વીરડીયા સાહેબે કરેલ.સમગ્ર કાર્યક્રમના ઉદ્દઘોષક તરીકેનું સફળ સંચાલન બગસરા પેટા વિભાગીય કચેરી શ્રી જુઈ , કે એચ મહેતાસાહેબે કરેલ .
Recent Comments