સાવરકુંડલા શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ..આ સંદર્ભે સિનિયર સિટીઝન સંગઠન વતી હર્ષદભાઈ જોશી અને બિપીનભાઈ પાંધીએ સંલગ્ન અધિકારીઓને સિનિયર સિટીઝનને તેનાં કાર્યો અંગે અગ્રતા આપવા નિર્દેશ કરતું બોર્ડ બનાવીને જાહેર સ્થાને મૂકવા અંગે રજૂઆત કરી હતી.
સાવરકુંડલા શહેરમાં રઘુવંશીપરામાં આવેલ પ્રાથમિક શાળા નંબર ૫ માં જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત શહેરના વોર્ડ નંબર ૧,૪,૫,૬ ના શહેરી લાભાર્થીઓ માટે તારીખ ૩૦-૧૦-૨૦૨૧ ના રોજ યોજાયેલ.. આ સંદર્ભ વિવિધ વિભાગો જેવા કે મામલતદાર ખાતે રેવન્યુ અને રેશનકાર્ડ, બેંક, સિટી સર્વે, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજકલ્યાણ, આવકના દાખલા સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, આધાર કાર્ડ, લગ્ન નોંધણી, રહેવાસી પ્રમાણપત્ર, જન્મ મરણ નોંધણી, મા અમૃતમ યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લગતી રજૂઆત, ઝૂંપડપટ્ટીમાં વીજકનેકશન, વિકલાંગ પાસ વગેરે જેવી યોજનાઓ, વેક્સિનેશન જેવા અનેક લાભો માટે ઉપરોક્ત વિસ્તારોનાં લોકો માટે આ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ સંદર્ભે અહીં સિનિયર સિટીઝન સંગઠન વતી હર્ષદભાઈ જોશી અને બિપીનભાઈ પાંધીએ સંલગ્ન અધિકારીઓને સિનિયર સિટીઝનના કાર્યો માટે અગ્રતા આપવામાં આવે તેવું નિર્દેશ કરતું બોર્ડ બનાવીને જાહેર સ્થાને મૂકવા અંગે લેખિત રજૂઆત કરી હતી.આમ માનવીય ધોરણે પણ જો સિનિયર સિટીઝનને અગ્રતા મળે તો સામાજિક દાયિત્વની ભાવના બળવતર બને. આમ માણસાઈનાં દિવા દીપ સે દીપ જલે એ સંદર્ભ રજૂઆત કરી હતી.
Recent Comments