વડિયાનાં દિવ્યધામ મંદિરે શ્રીમદ્ય ભાગવત્ સપ્તાહનું આયોજન
વડિયા શહેરમાં મઘ્ય આવેલું સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવતા શાસ્ત્રી આનંદસ્વરૂપ દાસજી સ્વામી વડિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે કોઈ પણ પ્રકારની ધાર્મિક અનેસામાજિક પ્રવૃતિઓ બંધ હતી ત્યારે હવે સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી છે અને કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એવા સમયે સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી વકતા આનંદસ્વરૂપ દાસજી સ્વામીને લોકોને ધાર્મિક કથાનું સરસ મજાનું રસપાન કરાવી રહયા છે. પોતાના મધૂર કંઠે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને કૃષ્ણ વિશે સુંદર ઝીણવટભરી સમજણ આપી રહયા છે. વડિયા સ્વામિનારાયણ દિવ્ય ધામ મંદિર ખાતે લોકો પણ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આ સાથે વડિયા સ્વામિનારાયણ મંદિરના મહંત રામકૃષ્ણ સ્વામી કોઠારી સ્વામી હરીકૃષ્ણ સ્વામી, નિલકંઠ સ્વામી સહિતના મોટી સંખ્યામાં સંતો પણ ઉપસ્થિત રહે છે. આ કથા દરમિયાન સ્વામિનારાયણ મંદિર સંતો દ્વારા વૃઘ્ધો, મહિલા અને પુરૂષોનું પોતાની જ પુત્રી અને પુત્ર વધુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
Recent Comments