રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયા આજે અમરેલી જિલ્લાના પ્રવાસે
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયા આજે ૧૬ ડિસેમ્બરના અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મંત્રીશ્રી બપોરે અમરેલી શહેરના જેસીંગપરા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લાના પદાધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી બેઠક કરશે. ત્યારબાદ કલેકટર કચેરી ખાતે જિલ્લાની વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે નગરપાલિકાઓની સમીક્ષા બેઠક કરશે.
Recent Comments