અમરેલી ખાતે ૨૬ ડિસેમ્બરના સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાશે
૨૬ ડિસેમ્બરના અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસના વિવિધ વિકાસકાર્યોના પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભર્થીઓને અને શહેરી ફેરિયાઓને મહાનુભાવોશ્રીના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા, ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી તેમજ નગરપાલિકા અને પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ તેમજ સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
Recent Comments