કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા ગામે રૂા. પપ.૦૦ લાખના ખર્ચે બ્રીજના કામની મંજુરી મળી
કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા ગામે અ.જા. વિસ્તારમાં જવાના રસ્તે બ્રીજ બનાવવાની ખુબ જ જરૂરીયાત હતી અને મોટા ઉજળા ગામના આગેવાનોએ અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીની રજુઆત કરતા ધાનાણીએ તુરંત સરકારશ્રીમાં રજુઆત કરી કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા ગામે અ.જા. વિસ્તારમાં જવાના રસ્તે માઈનોર બ્રીજ, ૪ સ્પાન, ૬.૦૦ મી. એપ્રોચ તથા પ્રોટેકશન વોલ રૂા. પપ.૦૦ લાખ મંજુર કરાવી જોબનંબર ફાળવવામાં આવેલ છે. આગામી થોડા જ દિવસોમાં માઈનોર બ્રીજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.
Recent Comments