રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયા ૩૦ ડિસેમ્બરના અમરેલી જિલ્લાના પ્રવાસે
અમરેલીના જેસીંગપરા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરી સુશાસન સપ્તાહના કાર્યક્રમમાં હાજરી આપશે
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયા આજે ૩૦ ડિસેમ્બરના અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મંત્રીશ્રી સવારે સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લાના પદાધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી બેઠક કરશે ત્યારબાદ અમરેલી શહેરના જેસીંગપરા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ કલેકટર કચેરી ખાતે જિલ્લાની વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે નગરપાલિકાઓની સમીક્ષા બેઠક કરશે.
Recent Comments