અમરેલીથી સુરતની હવાઈ સેવાનો ડાયમંડ કિંગના હસ્તે પ્રારંભ
અમરેલીથી સુરતની હવાઈ સેવાનો ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકીયાના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અમરેલી એરપોર્ટ ખાતે આજે ગુજરાત સરકાર અને વેન્ચુરા એર કનેકટ લીમીટેડનાં સહયોગથી અમરેલી-સુરત ડેઈલી હવાઈ સેવાનો વેન્ચુરા કંપનીનાં માલીક અને ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકીયાનાં વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૌ પ્રથમ જિલ્લાનાં મુકબધીર બાળકોને સર્વ પ્રથમ હવાઈ મુસાફરી કરાવવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સવજીભાઈ ધોળકીયાનાં વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ, ડાયમંડ એસોસીએશન, મોબાઈલ એસોસીએશન, કોંગ્રેસ સમિતિ ઘ્વારા સવજીભાઈ ધોળકીયાનું મોમેન્ટો, શાલ, પુષ્પગુચ્છ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાજપ અગ્રણી ભરતભાઈ કાનાબારે હવાઈ સેવાને બીરદાવી આંતરરાજય હવાઈ સેવા મળી રહે તેવા પ્રયાસો રાજય સરકાર અને વેન્ચુરા કંપની કરી રહી છે. તે સરાહનીય છે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે ડી.કે. રૈયાણી સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments