અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ એ અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી
માસ્ક, સેનીટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું કડક પાલન કરવા સૂચના
જિલ્લામાં મેડિકલ સંસાધનોની ઉપલબ્ધતા, વેક્સીનેશન, વધતા કોરોના કેસોની વિગતવાર સમીક્ષા કરાઈ
અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમારએ આજે અમરેલી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે હાલ કોવિડ-૧૯ ની પરિસ્થિતિને લઈને લોકો ફરીમાસ્ક, સેનીટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત તેઓએ જિલ્લામાં મેડિકલ સંસાધનોની ઉપલબ્ધતા, વેક્સીનેશન, વધતા કોરોના કેસો, ઓક્સિજનની વ્યવસ્થા, પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિશનરોને તાલીમ, ધન્વંતરી રથોની કામગીરી, કન્ટેનમેન્ટ ઝોન, ગ્રામીણ અને શહેરી સ્તરે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા, પીડિયાટ્રિક બેડની વ્યવસ્થા જેવા વિવિધ વિષયો ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
ડબલ વેક્સીનેટેડ લોકોને લાગતા કોરોના સંક્રમણ અંગે માહિતી આપતા પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે ઘણા ડબલ વેક્સીનેટેડ લોકોને કોરોનાનું સંક્રમણ લાગે છે ત્યારે જે લોકોએ વેક્સીન નથી લીધી એવા લોકોની સરખામણીએ વેક્સીનેટેડ લોકો જલ્દી સાજા થાય અને કોઈ અતિ ગંભીર લક્ષણો જણાતા નથી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, અધિક કલેક્ટર શ્રી આર. વી. વાળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલ સહિતના તમામ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના દરેક તાલુકા મથકોએથી તંત્રના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.
Recent Comments